________________
( ૧૨ )
ઉત્તરાધ્યયનસૂત્રને સ્વ-સ્વાધ્યાયનુ એક મુખ્ય અંગ બનાવ્યું હતું, એટલું જ નહિ પણ આ મૂલ સૂત્રને કંઠસ્થ કર્યું હતુ અને દિવસ કે રાત્રિના વિભાર વેદનાવશના અવસરે તેઓશ્રીએ પેાતાના આત્માને
આ જ સૂત્રના રટણથી સ્થિર પ્રશાન્ત રાખ્યા હતા,-એમ અનુભવસિદ્ધો જણાવી રહ્યા છે. એટલે આ ગ્રન્થનું શુભાભિધાન જ્યારે મુખથી નીકળે છે, ત્યારે એ પૂન્યપુરુષનું સ્મરણ સહજ જ થઈ આવે છે.
આ ગ્રન્થને અનુવાદ ગુર્જરગિરામાં પૂર્વ પંન્યાસજી શ્રી ભદ્ર કર વિજયજી ગણિવરે કર્યા છે. તેઓશ્રીએ આ ગ્રન્થની શુદ્ધિ અને સરલતા માટે ખૂબ જ લક્ષ્ય રાખવા ઉપરાન્ત વાચકેાને તે સમજવામાં કિલષ્ટતાની નજરે તેની ખાસ કાળજી રાખેલ છે.
આ ગ્રન્થની પ્રસ્તાવના જો કે અહીં સંપૂર્ણ થાય છે, પરન્તુ અન્ય જ એવા છે કે-એની પ્રસ્તાવના માટે સેાના ઉપર ઢાળ ચઢા વવા જેવું છે, છતાં પણ શિષ્ટાચાર સચવાય એ હેતુથી ટૂંકુ ગ્રંથમેધન કરવામાં આવ્યું છે.
આ ગ્રન્થમુદ્રણમાં જે મહાશયાએ જ્ઞાનભક્તિ અર્થે સદ્રવ્યવ્યય કરીને પેાતાની ઉદારતા દાખવી છે, તે અનુમેાદના પાત્ર છે.
Jain Educationa International
અતિથિ. ( પ્રથમાવૃત્તિમાંથી )
For Personal and Private Use Only
www.jainelibrary.org