SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) રોગ્ય લાગે તે ખરીદ કરી વેચી લાભ મેળવીને આવો.” ધનાએ તે ઘર બહાર નીકળતાં સારા શુકન થવાથી પશુવ્યાપારમાં લાભ જાણી પિતાએ આપેલા દ્રવ્યવડે એક મેંઢા જોરાવર ખરીદ કર્યો પછી રાજપુત્રના મેંઢાની સાથે “એક હજાર દ્રવ્ય જેને મેં હારે તે આપે” એવું પણ કરીને પિતાના મેંઢાને વઢા, તેણે રાજપુત્રના મેંઢાને ભગાડ્યો, એટલે રાજપુત્રે એક હજાર રૂપીયા આપ્યા. તે લઈને ધને ઘરે આવ્યા અને પિતાના પિતાને તે હકીકત સાથે એક હજાર રૂપીઆ અર્પણ કર્યા. બાકીના ત્રણ ભાઈઓ કાંઈ પણ લાભ મેળવ્યા વિના આવ્યા. બીજે દિવસે ફરીને પરીક્ષા કરવા માટે પિતાએ ૬૦-૬૦ સુવર્ણમાસા આપ્યા અને કહ્યું કે-“આટલા દ્રવ્યવડે લાભ મેળવીને આવે.” ત્રણ ભાઈઓએ તે બનતા પ્રયાસ કર્યો પણ ભાગ્યહીન હેવાથી કાંઈ મેળવી શકયા નહીં. ધને તે દ્રવ્ય લઈને બજારમાં ગયે. - હવે તે નગરમાં મહાધન એવા નામને કૃપણશેખર શ્રેષ્ઠી વસતે હતે. તેની પાસે ઘણું દ્રવ્ય હતું છતાં તે દાનમાં આપી શકતે નહીં, સ્વજનેને સંભાળતે નહીં અને દીનદુ:ખી ઉપર પણ દયા કરતે નહીં. સારાં વસ્ત્રો પણ પહેરતે નહીં. તેણે પિતાના ઘરમાં ખાડો ખોદીને તેમાં પિતાનું દ્રવ્ય કાર્યું હતું અને એક ખાટલાના ચાર પાયામાં કેટલાક મૂલ્યવાન રત્નો ગેપવી તે ખાટલે પેલા ખાડા ઉપર ગોઠવી તેની ઉપર પેલો મૂઢ ચિત્તવાળે શેઠ મૂચ્છવડે બેસી રહેતું હતું. અનુક્રમે જરા વ્યાપ્ત થતાં તે મરણ પામે. લેકે તેને ખાટલા ઉપર બહુ પ્રેમ હોવાથી પેલા ખાટલા સાથેજ સ્મશાનમાં લઈ ગયા. ખાટલે સ્મશાનના સ્વામી દેહને મળે. તેણે બજારમાં લાવીને વેચવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy