SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) રહેલ દેવ તેના પર પ્રસન્ન થયો. અને “વર માગ” એમ કહ્યું. એટલે મૂળદેવે કહ્યું કે મને એક હજાર હાથી સાથે રાજ્ય ને દેવદત્તા આપે.” દેવતાએ “તથાસ્તુ.” કહ્યું. પછી મૂળદેવ બેનાતટ નગરે આવ્યો. રાત્રે તેણે સ્વપ્નમાં પૂર્ણ ચંદ્ર મુખમાં પ્રવેશ કરતે દીઠે. પછી તેનું ફળ પૂછવા માટે સ્વપ્ન પાઠક પાસે જતાં આરામિકને રીઝવી પુપે લઈ ઉપાધ્યાય પાસે ગયો અને તેની પાસે પુષ્પ મૂકી પિતાના સ્વપ્નની વાત કરીને તેનું ફળ પૂછ્યું, એટલે ઉપાધ્યાયે ગૌરવ સહિત તેને ન્હાવરાવી જમાડીને પિતાની પુત્રી પરણાવી. પછી કહ્યું કે- આજથી સાતમે દિવસે તમને રાજ્ય મળશે. ” સાતમે દિવસે ત્યારે રાજા અપુત્રી મરણ પામે. પ્રધાનેએ પંચદિવ્ય કર્યા, તેણે મૂળદેવને રાજ્ય આપ્યું. મૂળદેવે દેવદત્તાને પણ ત્યાં તેડાવી લીધી. અહીં મૂળદેવ ઉજજયિનીમાંથી ગયા પછી એક્તા દેવદત્તાની પ્રેરણાથી મૂળદેવને લાવવા માટે જિતશત્રુ રાજાએ અચળને કાઢી મૂકો. મૂળદેવને શોધતા શેતે તે મોટા સાથ સહિત પારસકુળે જઈ ઘણું કરીઆણું ખરીદ કરી બેનાતટે આવ્યું અને સારું ભેંટણું ધરીને મૂળદેવ રાજાને મળ્યો. મૂળદેવે તેને ઓળખ્યો. અચળ મૂળદેવને ઓળખે નહીં. પછી બધું કરીઆણું વેચ્યા બાદ તેની જકાતમાં દગો કરવાથી રાજાએ તેને પકડી મંગાવ્યું અને પૂછયું કે- મને ઓળખે છે?” અચળ બે કે “સૂર્યની જેમ તમને કણ ન ઓળખે ?” રાજાએ કહ્યું કે– વિવેકના વાક્યથી સર્યું, જે ખરી રીતે ઓળખતે હે તે બેલ. ” એટલે અચળે કહ્યું કે બરાબર ઓળખતે નથી.” તે વખતે સુંદર શૃંગાર ધારણ કરીને દેવદત્તા રાજાના બેલાવવાથી ત્યાં આવી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy