SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ( પર ) સંબંધી વ્યાપાર અને કૂટ કયવિયાદિ રહિત સ્વકુચિત એ. શુદ્ધ વ્યાપાર કરે. ધર્મશ્રવણ નામના ૧૩ મા દ્વાર પછી ૧૪ મું વ્યવહારશુદ્ધિ નામનું દ્વાર છે. તેમાં પ્રથમ ૧૫ કર્માદાન વર્જવા કહ્યા છે. તે બતાવે છે–૧ લાખ, મણશિલ, ગળી, ધાવડી, ટંકણખાર વિગેરેને વ્યાપાર તે લાખવાણિજ્ય. ૨ વિષ, લેહાસ્ત્ર, હળયંત્ર, હરિતાળ વિગેરેને વ્યાપાર તે વિષવાણિજ્ય, અહીં ગાથામાં લેહનું ખાસ જુદું ગ્રહણ કર્યું છે. તે તેને અતિ સાવધાન રહેવાના હેતુભૂત બતાવવા માટે છે. ૩ શકટ કર્મ તે ગાડાં વિગેરેનું ઘડવું, ખેડવું, વિચવું વિગેરે. ૪ ઈંગાળ કર્મ તે અંગાળ, ભઠ્ઠી, કુંભાર, લુહા૨ ને સેનાનું કર્મ–ઈટ ચુન વિગેરે પકાવવાનું કર્મ. ૫ વનકર્મ તે છેદેલ વગરદેલ વન, પત્ર, પુષ્પ, ફળ તેના વિય સંબંધી તેમજ અનાજ દળાવી આપવું વિગેરે કાર્યોવડે આજીવિકા કરવી તે. ૬ ગાડાં, બળદ, પાડા, ઉંટ, ગધેડા, ખચ્ચર, ઘોડા વિગેરેથી ભાર વહન કરાવવાવડે આજીવિકા તે ભાટક કર્મ. ૭ તળાવ, કુવા વિગેરે ખોદાવવા, શિલાઓ ફડાવવી, પથ્થરને ખાણમાંથી છુટા પડાવવા તે હેટ કર્મ. ૮ કોઈપણ જીવના દાંત, કેશ, નખ, શૃંગ, ત્વચા, રેમ, કડા, શંખ અને છીપાદિને વ્યાપાર તે દંતવાણિજ્ય. ૯ માખણ, ચરબી, મધ ને મદિરાદિના વ્યાપાર તે રસવાણિજ્ય, ૧૦ ત્રિપાદ તે દાસ દાસી ને ચતુઃ પદ તે હાથી ઘોડા બળદ વિગેરે. તેને વ્યાપાર તે કેશ વાણિજ્ય. ૧૧ બળદાદિકના નાક વીંધાવવા, અંકાવવા, મુશ્કને છેદ કરાવી નપુંસક બનાવવા, પીઠ ગળાવવી, કર્ણ છેદ કબળછેદ કરાવવા તે નિલંછન કર્મ. ૧ર તિલ, સરસવ, શેરડી, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy