SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯) જે મનુષ્ય સંતેષરૂપી અમૃતના સમૂહથી સિંચિત અંતઃકરણવાળે હેવાથી તેવા દ્રવ્યને વિષે અલુબ્ધ રહે છે અને સર્વદા અગ્રદ્ધપણે દેવદ્રવ્યનું સમ્યગ પ્રકારે રક્ષણ તેમજ વૃદ્ધિ કરે છે. તે જૈનશાસનમાં મહાસત્વ કહેવાય છે.” દેવદ્રવ્યાદિના ભક્ષણ વિગેરેનું જુદું જુદું ફળ બતાવે છે. દેવદ્રવ્ય સતે જિનાયતનમાં નિરંતર પૂજા સકારાદિ સવિશેષપણે થાય છે અને તેથી પ્રાયે મુનિજનેનું આવવું થાય છે. તેમના વ્યાખ્યાનના શ્રવણથી જિનપ્રવચનની વૃદ્ધિ થાય છે. એ રીતે જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને એ રીતે જ જ્ઞાનાદિ ગુણોની પ્રભાવના થતી હોવાથી જ્ઞાનદર્શન ગુણના પ્રભાવક એવા દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી જીવ અનંત સંસારી થાય છે. ૧૪૨. વળી એવા જ વિશેષણવાળા દેવદ્રવ્યની જે રક્ષા કરે છે તે જીવ પરિત્ત સંસારી-અલ્પસંસારી થાય છે. ૧૪૩. . વળી એવા જ દેવદ્રવ્યની જે વૃદ્ધિ કરે છે તે જીવ તીર્થકરણને પ્રાપ્ત કરે છે. ૧૪૪. હવે આ હકીકતને ઉપસંહાર કરે છે. એ પ્રમાણે જાણીને જે સુશ્રાવક દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે, તે જન્મ, જરા, મરણ ને રેગાદિકને અંત કરે છે. ૧૪પ. હવે આ ધર્મશ્રવણદ્વારમાં જ સવિશેષ વિધિ કહે છે. ' જે કંઈપણ કારણથી ધર્મદેશના દેવાને માટે આચાર્યાદિક જિનમંદિરે આવ્યા ન હોય તે અદ્ધિમાન શ્રાવક પૂર્વે કર્યા પ્રમાણે હાથી, ઘોડા વિગેરે સંયુક્ત જ્યાં ઉપાશ્રય હોય ત્યાં આવે. સામાન્ય મનુષ્ય સામાયિકાદિ અંગીકાર કરીને આવે. ૧૪૬. . મુનિ ચૈત્યમાં નિવાસ કરીને કેમ ન રહે? તેના ઉત્તરમાં કહે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy