SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ર) હવે દશમું, બારમું ને તેરમું-એમ ત્રણકાર સંબંધે કહે છે. નવકારસહિતાદિ પ્રત્યાખ્યાન ઘરે ગૃહત્યમાં ગ્રહણ કર્યું હોય છતાં ગુરૂસાક્ષીએ ફરીને ગ્રહણ કરે. ઈતિ દ્વાર ૧૬. પછી અગ્યારમું શ્રવણદ્વાર મૂકીને અલ્પ વક્તવ્યતા હેવાથી ચતિપૃચ્છા ને ઉચિતકરણરૂપ બે દ્વાર કહે છે – સાધુસમુદાયને શરીરની નિરાબાધા વિગેરે તમામ વાત પૂછે. આ પૃચ્છા મહાનિર્જરાના હેતુભૂત છે. ત્યારપછી પિતાની શક્તિ અનુસાર કેઈ મુનિ વાન હોય તે તેના ઔષધાદિની તજવીજ કરે. મુનિરાજ કેઈ ઔષધ લેવા ઘરે આવે તે આપવા રોગ્ય કેટલાક ઔષધે તૈયાર રાખે. ૮૪. સાધુસાધ્વીને ઉપર કહ્યા પ્રમાણે ત્રણ પ્રકારની વંદના કરી સુખસાતા પૂછી, ગ્લાનાદિને ઉપચાર કરી, શિથિળાચારી અવમગ્ન) હોય તેની પણ યથાયોગ્ય સંભાળ લેય. પછી શ્રમણોપાસક જે શ્રાવક ને શ્રાવિકા ત્યાં હોય તેમને પણ “વદે, વંદે” કહે. ૮૫. આ પ્રમાણે ૧૨ મું ને ૧૩ મું દ્વાર કહ્યું. હવે શેષ રાખેલ ૧૧ મું શ્રવણ દ્વાર કહે છે – પછી ગુરુ પાસે ધમ શ્રવણ કરવા માટે, નહીં અતિ નિકટ, નહીં અતિ દૂર અને નહીં ઉચ્ચાસને એટલે ધરણિતળ ઉપર યોગ્ય સ્થાને બેસે. ૮૬. બહુ નિકટ બેસવાથી આપણે શ્વાસોશ્વાસ ગુરૂમહારાજને લાગવાથી આશાતના થાય. અતિ દૂર બેસવાથી બરાબર સંભળાય નહીં. વળી વિદ્વાન શ્રાવક ગુરૂથી ઉચે આસને કે સરખે આસને પણ બેસે નહીં. એમાં અવિનય રહેલો છે. વળી ગુરૂની પડખે કે પાછળ પણ ન બેસે તે પણ અવિનયરૂપ છે. વળી તદ્દન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy