SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) અગ્ર દ્વારે, બીજી જિનભવનના મધ્યમાં પ્રદક્ષિણ દેતી વખતે, અને ત્રીજી ગર્ભગૃહમાં પ્રવેશ કરતાં કહે. અથવા પહેલી ગૃહવ્યાપારના ત્યાગરૂપ નિસિહી અગ્ર દ્વારે કહે. બીજી ચેત્યગૃહસંબંધી વ્યાપારના નિષેધરૂપ નિસિહ ગર્ભગૃહમાં (રંગમંડપમાં) પ્રવેશ કરતાં કહે, અને ત્રીજી દ્રવ્યપૂજાના નિષેધરૂપ નિસિહી ચૈત્યવંદન કરવાને અવસરે કહે. હવે શ્રાવક એ પ્રમાણે નિરિસહી કહેવાનું લક્ષમાં રાખીને બંધુમિત્રાદિ પરિવાર સહિત ત્રણ : પ્રદક્ષિણ આપે. ૫૧. અહીં નિસિહત્રિક ને પ્રદિક્ષણ ત્રિક (બે ત્રિક) કહ્યાં છે. તે પ્રમાણે દશે ત્રિક સમજી લેવા. પ્રદક્ષિણા ને નિસિહીના પ્રસંગમાં ભાવનાને અંગે પાંચ ગાથા કહે છેઃ – જિતેંદ્રિય, ઇદ્રિને સંવરનાર અને ઈર્યાસમિતિમાં ઉપયુક્ત હોવાથી મનગુપ્ત વચનગુપ્ત અને કાયમ એ શ્રાવક ચિત્તને વ્યાક્ષિત કરે તેવા કારણે દૂર કરે-નિષેધે. પર. વળી દેવકાર્ય મૂકીને બીજા બધાં કાર્ય વજે–ચિંતવે પણ નહીં. કથા ભક્ત(ભજન)કંથા, દેશકથા અને રાજકથા કરે નહીં. પ૩. કહ્યું છે કે “શ્રાવક જિનમંદિરમાં રહ્યો તે પરના મર્મને વધે તેવું તેના છિદ્ર પ્રકાશવારૂપ વાક્ય ન બેલે. જન્મકર્માગત એટલે તેના માબાપ સંબંધી અથવા કેઈ કાર્ય સંબંધી - ૧ નિસિહ ૨ પ્રદક્ષિણ, ૩ પ્રણામ. ૪ પૂજા. પ અવસ્થા ભાવન. ૬ ત્રિદિશી નિરીક્ષણ વર્જન. ૭ પદભૂમિપ્રમાર્જન. ૮ અલંબન. ૯ મુદ્રા. ૧૦ પ્રણિધાન-એ દશ ત્રિક સમજવા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy