SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩). ચૂર્ણ કરી નાખ્યું પણ અગ્નિ ન નીકળે, બીજા વિચક્ષણે તેના બે કકડાને ઘસીને અગ્નિ ઉત્પન્ન કરી દીધા. એવી રીતે શરીરમાં જીવ સમજ. સારી રીતે બંધ કરેલી લોઢાની પિટીમાં શંખ લઈને કેઈને પૂરીએ, તેમાં રહીને તે શંખ વગાડે તે તેને શબ્દ આપણે બહાર સાંભળીએ, તે સ્વરની જેમ જીવ જઈ આવી શકે છે. વળી વાયુવડે પૂરેલી મસક ને વાયુ કાઢી નાખેલી મસક તળતાં સરખે તેલ થાય છે, વધઘટ થતી નથી, તેમ જીવને પણ તેલ આવતું નથી. આ ત્રણે દષ્ટાંત તે મૂર્તિવાળા અગ્નિ, સ્વર ને વાયુના આપ્યા છે, આ જીવ તે અમૂર્ત છે તેથી તેને માટે તે સવિશેષપણું સમજવું.” આ પ્રમાણે કહેવાવડે રાજાના સંશ દૂર થવાથી તેણે પુણ્ય પાપ ને જીવનું અસ્તિત્વ કબુલ કર્યું. હવે કર્મ અને જીવની સિદ્ધિ માટે કહે છે કે મનુષ્યપણું સમાન છતાં રાજા ને રંકને, બુદ્ધિમાન ને જડને, રૂપવંત ને કુરૂપને, દ્રવ્યવાન ને દરિદ્રીને, બળવાન ને નિર્બળને, નિરંગી ને રેગાન, સુભાગી ને દુર્ભાગીને--આ પ્રમાણે જે અંતર પડે છે તેનું કારણ કર્મ જ છે. અને તે કર્મ જીવ વિના સંભવતા નથી. (જીવ જ કર્મ બાંધે છે.) આ પ્રમાણે કેશીગુરૂના ઉપદેશથી પ્રબોધ પામેલા પ્રદેશીરાજાએ કહ્યું કે-“હું કુળકમાત આવેલું નાસ્તિકપણું કેમ છડું?’ એટલે ગુરૂએ કહ્યું કે-“હે પ્રદેશ રાજા ! કુળકમાગતા આવેલા વ્યાધિને અથવા દરિદ્રીપણાને. મનુષ્ય છેડે છે કે નહીં? તે જેમ છેડે છે તેમ આ મહાવ્યાધિરૂપ નાસ્તિકપણું પણ છેડવા લાયક જ છે. વળી દેશાંતર ગયેલા વણિકને અનુક્રમે લેઢાની, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy