SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) પૂર્વભવ સાંભળીને તેણે ઘરે આવી પિતાના પિતાને પ્રતિબંધ પમાડ્યો અને બંને જણાએ સાથે દીક્ષા લીધી. દીક્ષા પાળીને બંને જણા સ્વર્ગે ગયા. અનુક્રમે મેક્ષે જશે. ઈતિ મરૂક કથા. - અહીં ૧૭ મું દ્વાર પૂર્ણ થયું. - હવે અઢારમું દ્વાર સત્કારરૂપ કહે છે – ત્યારપછી વિકાળ વેળાએ સૂર્ય આથમવાને અવસરે શ્રાવક પૂર્વોક્ત વિધાન પ્રમાણે જિનેશ્વરને વંદના નમસ્કાર ચૈત્યવંદનાદિ કરે. ૨૩૦. ઈતિ ૧૮ મું દ્વાર સમાપ્ત. હવે ઓગણીશમું વંદનક નામથી ઓળખાતું આવશ્યક દ્વાર કહે છે ત્યારપછી શ્રાવક પિસહશાળાએ જઈ પસહશાળા પ્રમા, ગુરૂમહારાજની સ્થાપના કરીને સામાયિક કરે. ૨૩૧. - સ્થાપનાચાર્યની સ્થાપના કર્યા સિવાય સામાયિકાદિ કઈ પણ ધર્મકરણ થઈ શકે નહીં. અહીં કે પ્રશ્ન કરે કે–શું શ્રાવકને પણ આગમમાં સ્થાપનાચાર્યની સ્થાપના કરવાની કહી છે?” તેને ઉત્તર આપે છે કે – સાંભળ! આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે–ગુરૂના વિરહમાં સ્થાપના સ્થાપે, તે ગુરૂના ઉપદેશને-આદેશને બતાવવા માટે સમજવી. તે સ્થાપના જેમ જિનેશ્વરના વિરહમાં કરેલી જિનબિંબની સેવા આમંત્રણાદિ સફળ થાય છે તેમ સફળ સમજ” યતિ સંબંધી સામાયિકના પ્રસ્તાવમાં મન શબ્દની વ્યાખ્યા કરતાં ભાષ્યકારે ગુરૂના વિરહમાં સાધુને સ્થાપના કરવાનું કહ્યું છે, શ્રાવક માટે કહેલ નથી. એમ જે કઈ કહે તે તેના ઉત્તરમાં કહેવાનું કે- સામાયિક ઉચ્ચરતે શ્રાવક પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy