SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) તે તેને પણ ચોરી જાય છે-લુંટી જાય છે. તે કાઠીયાના નામ ૧ આળસ-ધર્મશ્રવણ કરવા જતાં આળસ આવે, તેથી ન જાય. ૨ માહ--ધર્મ સાંભળવા જતાં સાંસારિક મેહમાં પડી જાય તેથી ન જાય. ૩ અવજ્ઞા–ધર્મ સંભળાવનાર મુનિની અવજ્ઞાથી ન જાય. ૪ સ્તંભ-માન-અભિમાનને લઈને “ત્યાં કાંઈ આપણું માન જળવાતું નથી” એમ ધારીને ન જાય. ૫ ક્રોધ– ત્યાં આવનાર આપણા વિરોધીઓ છે, તેથી ત્યાં શું જોઈએ ?” એવી ક્રોધ પ્રવૃત્તિથી ન જાય. ૬ પ્રમાદ–વિષયાદિ અન્ય પ્રમાદમાં પડી જવાથી ન જાય. ૭ કૃપણુતા–ત્યાં જઈશું તે કાંઈપણ ધર્મકાર્યમાં ટીપટપરામાં આપવું પડશે” એમ ધારીને ન જાય ૮ ભય-કેઈ પણ જાતના ભયથી–એટલે “રખે ત્યાં કઈ ઉપદ્રવ કરનાર આવી ચડશે-રાજવિરૂદ્ધ વિચાર કરવા ભેળા થયા ઠરાવશે એવા ભયથી ન જાય. ૯ શોક–શેકના કારણે પ્રાપ્ત થવાથી અથવા શેકીઓ સ્વભાવ હોવાથી ઘેર બેસી રહે-ધર્મ સાંભળવા ન જાય. ૧૦ અજ્ઞાન-જ્ઞાનાવરણીયના ઉદયથી–જ્ઞાન મેળવવાની ઈચ્છા જ ન થવાથી ધર્મ સાંભળવા ન જાય. ૧૧ વ્યાક્ષિતપણાથી–અન્ય સામાન્ય કાર્યમાં શેકાઈ જવાથી ન જાય. ધર્મશ્રવણની ક્રિયાનું મનમાં બહુમાન ન હેવાથી એમ બને છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy