SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) ઉપધિ વિગેરે સાધુને સહેજે પ્રાપ્ત થાય છે, સુખ-સાધારણ શય્યા વિગેરેના સદ્ભાવથી શરીરસ્વાથ્ય પણ ત્યાં મળી શકે છે. વળી તેવી વસતિમાં રહેવાથી દશવિધ વૈયાવચ્ચમાં ઉદ્યત એવા સાધુને વાતપિત્તાદિ કેપના અભાવથી વિશિષ્ટ સામર્થ્યની વૃદ્ધિ થાય છે અને નિર્વિધનપણે અધ્યયનાદિ થવાથી જ્ઞાનાદિકની પુષ્ટિ થાય છે. એ બધી બળવૃદ્ધિ સમજવી. વળી ચારિત્રની વિશુદ્ધિ સ્ત્રી, પશુ, પંડક અને ત્રસાદિકના સંસક્તપણાદિ દેષ રહિત વસતિમાં રહેવાથી ચારિત્રની શુદ્ધિ થાય છે તે પ્રસિદ્ધ જ છે. એટલે એ બધાં વાનાં જેણે વસતિ આપી તેણે પરમાર્થે આપ્યા એમ સમજવું. જે એવી વસતિ ન હોય તે તે બધામાં ખામી આવે છે. હવે એવા શય્યા (વસતિ) દાન કરનારને ઐહિક સુખની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય છે તે બતાવે છે – “ વિમુક્તહી અર્થાત્ વસતિ વિગેરેમાં મમત્વ રહિત એવા સુસાધુને જે મનુષ્ય પ્રફુલ્લિત ચિત્તે (પારકા ઉપરથી પરાધીનપણે નહીં ) વસતિનું દાન આપે છે તે મનુષ્ય આ જન્મમાં પણ સુકીર્તિ અને ઉત્તમ ભેગ મેળવે છે એમ જિનેશ્વરેએ કહ્યું છે. કારણ કે અત્યુઝ પુણ્યનું ફળ આ ભવમાં પણ મળી શકે છે.” ૧૨. હવે પરલોકમાં તેને જે ફળ પ્રાપ્ત થાય છે તે કહે છે – તેને પરલેકમાં દેવ સંબંધી મહદ્ધિની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ તે મહદ્ધિક દેવ થાય છે, ઇંદ્ર થાય છે, અથવા ઇદ્રને સામાનિક દેવ થાય છે, કે જે મુનિરાજને રહેવા ઉપાશ્રય આપે છે. ૧૩. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy