SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) પુન્ય રહિત એવા મનુષ્યને ઘરે નિર્મમ (મમતવિનાના), નિરભિમાની, ક્ષમાવત (ખાંત), નોઈન્દ્રિય (મન)ને દમનારા (દાંત) અને જિતેંદ્રિય એવા સુસાધુઓ જતાજ નથી. ૧૮૬ આજ હકીકત દષ્ટાંતપુરઃસર કહે છે કે પ્રચંડ સૂર્યના તીવ્ર કિરણના સંપર્કથી તપેલી અને તપેલા રેતીના કણેથી સર્વત્ર અગ્નિમય જણાતી, વળી બોરડી ને કેરડા વિગેરે અધમ વૃક્ષથી પણ રહિત એવી મારવાડની ભૂમિમાં અત્યંત સંકલ્પ સમૂહવડે માગેલ સર્વ વાંછિત પૂર્વાને સમર્થ અને સર્વ પ્રકારના દારિદ્રશ્યનો જેણે મૂળથીજ નાશ કરી નાખ્યો છે એવું ક૯પવૃક્ષ કયાંથી હોય ? વળી જ્યાં અનેક ગાય વિગેરે પશુઓના અતિ બીભત્સ ને દુર્ગધી મૃતક કલેવરે પડેલી છે એવા માતંગ (૮) ના ઘરમાં દેવેની શ્રેણિએ યુક્ત દેવરાજ(ઇદ્ર)ને બેસવા લાયક દેવોએ શોભાવેલ ઐરાવણ હતી કયાંથી હોય? તેમજ ધાન્ય વિનાના હાંડલાઓ જ્યાં પડેલા છે અને તેથી દુદત એવા બાળકો ખાવા માટે કલહ કરી રહ્યા છે એવા દરિદ્રીના ઘરમાં કરી છે નેત્રની ને મનની તુષ્ટિ જેણે એવી સુવર્ણની વૃષ્ટિ કયાંથી હોય? અને અત્યંત અંધકારના સમૂહથી પદાર્થમાત્ર ન જોઈ શકાય તેવી તમિસા ગુફામાં દેદીપ્યમાન કર્યા છે નજીકના સમસ્ત પદાર્થોને જેણે એ રત્નપ્રદીપ કયાંથી હોય ? એ વસ્તુઓ જેમ તે તે સ્થાનકે ન હોય તેમ નિભંગીને ઘરે પૂર્વોક્ત ગુણવાળા મુનિરાજનું આગમન પણ ન હોય. - એવા ગુરૂમહારાજનું આગમન તે ભાગ્યવંતને ઘરે જ થાય છે. અને તેમને પણ જ્યારે એ ગુરૂમહારાજને લાભ પ્રાપ્ત થાય છે ત્યારે તે ચિંતવે છે કે કયાં એવા રવર્ગ અપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy