SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને તેમનો સમય ૩૫ દેરવામાં આવી છે. આ સિદ્ધાંત આત્માના અસ્તિત્વને નિષેધ નથી તેમજ કર્તાની માન્યતા સ્વીકારતે પણ નથી, છતાં પણ તે પ્રત્યેક વ્યક્તિને પિતાના ભાગ્ય વિધાતા બનાવે છે, પ્રત્યેક જીવંત આત્માને મોક્ષનું ધ્યેય બનાવે છે, તેમજ તે શાશ્વત સુખના આવશ્યક સાધન તરીકે આત્મવિકાસની સર્વોત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચતા સુધીના સમય માટે સર્વોચ્ચ ત્યાગ ગણાવે છે.” અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે ઈશ્વર જેવી કઈ વ્યક્તિને જેને સ્વીકારતા નથી તે તેઓ કઈ સત્તાને માને છે અને તેનાં લક્ષણે શાં છે? લક્ષણ દ્વારા ઓળખ્યા વિના કેઈપણ વ્યક્તિનાં ફરમાને સ્વીકારતાં બીનજવાબદાર અને આપખુદ સત્તાધીશની આજ્ઞા સ્વીકારવાને આરેપ આવે છે. સત્તાધીશ ગમે તેટલો સાચે હેય છતાંય સત્યજ્ઞાન એ ઉપદેશની પહેલી ભૂમિકા છે ધર્મના મૂળ તરફ જોતાં મનુષ્ય અને ઈશ્વરી સત્તાને પારસ્પરિક સંબંધ એ ધર્મની તાત્વિક વ્યાખ્યા નથી અને એ જૈનધર્મને અનુકૂળ પણ નથી. આવી વ્યાખ્યા ધર્મના ઉંડા રહસ્યને ઉકેલ્યા વિના જ રહેવા દે છે. “દુઃખના અસ્તિત્વનાં કારણ જાણવાની, તેને નિર્મૂળ કરવાની, પરિણામે નિપજતા શાશ્વત સુખ માટે મનુષ્યની સ્વાભાવિક વાંછના તેજ ધર્મનું લક્ષણ છે.”૨ ઉપર જણાવેલી શકિતઓ દેખીતી રીતે દેવી નથી તેથી દેવી શક્તિને આ રીતે અસ્વીકાર કરવામાં આવે છે, અને વધારામાં સત્યસ્વરૂપે નહિ, પણ તેના પૂજકની દૃષ્ટિએ તેઓ દેવ ગણાય છે. આ એક નિર્બળતા છે અને ઓછાવત્તા પ્રમાણમાં જૈને પણ તેમાંથી સ્વાભાવિક રીતે મુક્ત રહી શકે તેમ નથી. આ વિચારસરણી હમણાં બાજુએ રાખીએ તે આપણે પહેલાં જોયું તેમ પિતાના વિકારે અને ઇદ્રિને જીતી સર્વ કર્મોથી મુક્ત થયેલ એવા મહાન આત્માઓએ જગતમાં પવિત્ર અને પૂર્ણ પ્રકાશરૂપ જેન ધર્મ પ્રરૂપે છે.* જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતને રજૂ કરતાં બધાં શાસ્ત્રો પૃથ્વી પર મનુષ્ય તરીકે વિચરતા પાક અને મહાવીર જેવા મહાન આધ્યાત્મિક ગુરુઓના ઉપદેશામૃત છે. 1. Warren, Jainism, p. 2. “Man! Thou art thine own friend; why wishest thou for a friend beyond thyself?"-Jacobi, S. B. E., xxii., p. 33. [2. Warren, p. cit., p. 1. 3. Cf. Tiele, ob, cit, p. 2. 4. જિનેન્દ્રો . . . સાવિતઃ , . સ્માર્મફર્યા ત્યા સંકઃ પરમં . . –Haribhadra, Saddarsana Samuccaya, vv. 45, 46. "It is the opinion of Jainism that only that knowledge is true which is purged of the infatuating elements of anger, hatred, or other passions; that only he who is all-knowing is able to map out the path of rectitude which shall lead to final beatitude in life everlasting, and that omniscience is impossible in any in whom the infatuating elements are found to exist."-Warren, op. cit., p. 3. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy