SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર પહેલાને જૈન ધર્મ ઉપયોગ કરવામાં આવે છે કે જેથી મહાવીરના સુધરેલા સિદ્ધાંત પચયામ ધર્મથી તે જુદું સમજી શકાય.' | ડૉ. યાકેબીનું આ મન્તવ્ય સમજવા માટે આપણે પહેલાં એ જાણવું જરૂરનું છે કે પાર્શ્વનાથના મૂળ ધર્મમાં તેના અનુયાયીઓ માટે ચાર મહાન વ્રત નિયત કર્યા હતાં જે નીચે પ્રમાણે છેઃ અહિંસા, સત્ય, અસ્તેય (અચૌર્ય) અને અપરિગ્રહ (અનાવશ્યક બધી વસ્તુઓને ત્યાગ). સુધારક મહાવીરે જોયું કે જે સમાજમાં તે વિચરતા હતા તેમાં પાર્શ્વનાથના અપરિગ્રહ વ્રતથી તદ્દન જુદું બ્રહ્મચર્ય એટલે શિયળ વ્રત જુદા વ્રત તરીકે ઉમેરવું જોઈશે. * જૈન ધર્મમાં મહાવીરે કરેલા આ સુધારા સંબંધમાં ડૉ. યાકેબી કહે છે કે “પાર્શ્વનાથ અને મહાવીરના સમય દરમિયાન સાધુસંસ્થામાં ચારિત્ર્યની શિથિલતા આવી હોય એમ આ સુધારા પરથી માની શકાય છે. છેલ્લા બે તીર્થંકરે વચ્ચે સમયનું પૂરતું અંતર પડી ગયું હતું એવી ખાત્રી હોય તેજ આ સંભવિત છે; અને પાર્શ્વનાથ પછી મહાવીર ૫૦ વર્ષે આવ્યા એ માન્યતાનું આ કથન સમર્થન કરે છે આ રીતે બૌદ્ધ ગ્રંથમાંથી પાર્વનાથનું જીવન ઐતિહાસિક દષ્ટિએ નક્કી કરવા માટે સપ્રમાણ સાબિતીઓ આપણને મળી આવે છે. આ ઉપરાંત જ્યારે આપણે બૌદ્ધ શામાં મળી આવતા નાતપુર અને તેના તત્ત્વજ્ઞાન વિષેનાં આ બધાં અનુમાનને વિચાર કરીએ છીએ ત્યારે એક વાત બહુજ વિચિત્ર લાગે છે અને તે એ છે કે હરિફ ધર્મનાં શામાં પિતાને માટે આટ આટલાં ખંડેને તેમજ ઉલેખે હેવા છતાં જેને પિતાના પ્રતિપક્ષી માટે મન છે. આ ઉપરથી જોઈ શકાય છે કે નિથાને બૌદ્ધો એક ઉપયોગી જાતિ માનતા હતા છતાં નિર્ચાએ બંધુધર્મને ઉલેખ આવશ્યક માન્ય નથી. બૌદ્ધ અને જૈન સાહિત્યને આ વિચિત્ર સંબંધ બુદ્ધ અને મહાવીર પૂર્વે ઘણા સમય પહેલાં જૈન ધર્મનું અસ્તિત્વ હતું એમ સાબિત કરવા માટે પૂરતાં છે. ડો. યાકેબી જણાવે છે કે “નિને ઉલ્લેખ બીએ અનેક વાર કર્યો છે અને પિટમેના જૂનામાં જૂના ભાગમાં પણ એ મળી આવે છે પણ પ્રાચીન જૈન સૂત્રમાં કયાંયે બૌદ્ધો વિષે સ્પષ્ટ ઉલ્લેખ થયેલે હજી સુધી મારા જેવામાં આવ્યું નથી. જો કે તેમાં જમાલિ, ગોશાલ અને બીજા પાખંડીઓ વિષેનાં લાંબાં કથાનકે મળી આવે છે. પછીના સમયમાં બંને જાતિ પરસ્પર જે સંબંધ ધરાવે છે તેનાથી આ તદ્દન વિપરીત સ્થિતિ હોવાને કારણે તેમજ બંને ધર્મના સમકાલીન પ્રારંભ વિષેની આપણી કલ્પના પરસ્પર વિરોધદર્શક હવાથી આપણે એ અનુમાન પર આવવું પડે છે કે નિગ્રંથ જાતિ બુદ્ધના વખતની નવી 1. Jacobi, A. ix, p. 160. 2. Aતાન , TAતાનિ ... etc.--See Kalpa-Satra, Subodhika-Tika, p. 3. 3. Jacobi, s. B. E, xls, pp. 122-123. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy