________________
१७८
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સ્વીકારીએ તે આ વિક્રમ સંવત (ઈ. સ. પૂર્વે ૫૭) છે અને શિલાલેખ ઇ. સ. પૂર્વે ૧૬-૧પ ને ગણી શકાય. ડૉ. કૉનૉવે શેડોસના શિલાલેખમાં વિક્રમ સંવત નેંધાયાનાં વાસ્તવિક કારણ દર્શાવ્યાં છે. તે વિદ્વાન કહે છે કે “મને લાગે છે ત્યાં સુધી ચાર માસની એક એવી ત્રણ ઋતુ અનુસાર સંવત ગણવાની પદ્ધતિ એ પાછળથી વિક્રમ સંવતનું ખાસ લક્ષણ ગણાતું. જુના શિલાલે છે કે જેમાં આ સંવતની નેંધ છે તે સૂચવે છે કે તે માલવીય ગણત્રી છે. આનાં બે ઉદાહરણ છેએક નરવર્મન અને બીજે કુમારગુપ્ત ૧લાના સમયના એવા બે મંદિરના શિલાલે એમાં તુ ખાસ દર્શાવેલી છે. આમ હું માનું છું કે શેઠાસે પિતાના શિલાલેખમાં વિક્રમ સંવત વાપર્યો છે અને આજ સંવત કનિષ્ક અને તેના વંશજોએ સમસ્ત હિંદની પિતાની તવારી માટે રવીકાર્યો છે કારણ કે પ્રજાકીય ગણત્રી માટે ઉત્તર હિંદમાં તે સંવત વપરાતે હતો.”
આ બે ક્ષત્રપ શિલાલેખો પછી “પુરાણ” શિલાલેખેને સમૂહ આવે છે અને જે બહલરના મત અનુસાર કનિષ્કના પહેલાના સમયના છે. તેમાં નીચેને એક નેંધ લેવા જે છેઃ
અહંત વર્ધમાનને નમસ્કાર! શકે તથા પિથને કાળા નાગ સમાન ગતિપુત્ર (ગુપ્તિપુત્ર) ની કૌશિક ગેત્રની પત્ની શિવમિત્રાએ પૂજાની એક તક્તી કરાવી હતી.”
ડ, બુહલરના મત પ્રમાણે ગતિ પુત્ર અને કૌશિક શિવમિત્રા એ બન્ને ઉમરાવ રાજકુળના હતા અને “ગેતીપુત્ર, પથ તથા શકેને એક કાળા નાગ સમાન” એ શબ્દો તે વીર જાતિને હેય તેમ સૂચવે છે. તે વિદ્વાન જણાવે છે કે “તે જે યુદ્ધને નિર્દેશ કરે છેતે કાં તે કનિષ્કની પહેલાં સિથિયનેએ મથુરા જીત્યું તે પહેલાનાં યા તે તેમની સત્તા સરી ગયા પછીનાં હોવાં જોઈએ. શિલાલેખેની લિપિ પ્રાચીન છે અને તે ઈ. સ. પૂર્વે પહેલા સૈકાની લાગે છે તે પરથી પ્રથમ અનુમાન ખરું લાગે છે. જે શિલાલેખ પણ સિથિયન જીત પહેલાને હોય તે જે જૈન મંદિરમાંથી તે પ્રાપ્ત થયું છે તેની પ્રાચીનતાને તે સબળ પુરાવો છે" - તે પછી કાળાનુક્રમ તારીખના શિલાલેખ આવે છે, જેમાં કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવનાં સ્પષ્ટ નામે છે. તે ઉપરાંત બીજા તારીખવાળા કેટલાક શિલાલેખે પણ તે સમયના છે, જો કે તેમાં કુષાણ રાજાઓનાં નામ નથી. ડૉ. બુહલર જણાવે છે કે “૧૧ થી ૨૪ને બીજે સમૂહ તારીખવાળા શિલાલેખેને છે કે જે મારા મત પ્રમાણે કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવના સમયના છે. આમાંના એકે માં નામ નથી, છતાંય હું માનું છું કે ત્રણે રાજાએના નામ તથા તારીખવાળા લેખ સાથે આને કાળજીપૂર્વક સરખાવતાં ભાગ્યે જ કે બીજ અનુમાન પર આવી શકે.”૬
1. C. Konow, EI, xiv, pp. 139-141. 2. CJ. ibid, pp. 139, 141, 3. Bihler E.I, ii. Ins. Nos, IV-X, p. 196. 4. Ibid., Ins. No.XXIII, p. 396. 5. Ibid, p. 394. 6, Ibid., p. 196.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org