________________
પ્રકરણ ૫
મથુરાના શિલાલેખો ખારવેલને હાથિગુંફન શિલાલેખ જેમ ઉત્તર હિંદના જૈન ઇતિહાસને પહેલે તબક્કે પૂરો કરે છે તેમ મથુરાના શિલાલે તેના બીજા તબક્કાની તવારીખ શરુ કરે છે. આ બન્ને વચ્ચે ઈ. સ. પૂર્વે ૧૫૦ થી ૧૨ સુધીને સમય કેરો ગણવાની જરૂર નથી કારણ કે કાલિંગના જૈન રાજા પછી તેના કરતાં પણ વધારે સુપ્રસિદ્ધ એ ઉજયની વિક્રમાદિત્ય થયો કે જેને જેને પિતાના સંપ્રદાયને રક્ષક માને છે. તેમાંથી મળતા પુરાવાઓનું દિગ્દર્શન કરી કલિંગ તથા માળવા ઉપરાંત મથુરા પણ જૈનધર્મની વસાહત બની હતી તે આપણે જોઈશું.
મહાવીરના નિર્વાણસમયની ચર્ચા પ્રસંગે ઈ. સ. પૂર્વે પ૭ કે પદ માં શરુ થતા વિક્રમ સંવત વિષે નિર્દેશ કર્યો છે. જૈન વિક્રમચરિત જણાવે છે કે “પોતાની પવિત્ર ભક્તિથી જૈન ગુરુ સિદ્ધસેન દિવાકરની સૂચનાથી વિકમે દુનિયાને દેવામાંથી મુક્ત કરી અને પરિણામે વર્ધમાનના સંવતમાં પરિવર્તન થયું.”૧ ભવિષ્યના હિંદમાટે તેણે–આજે પણ ઉત્તર હિંદમાં ચાલતા એવા એક ચેકકસ સંવતની ભેટ કરી. એડગર્ટનના શબ્દોમાં “માત્ર જેનોની જ નહિ, પરંતુ હિંદુઓની પણ ઘણા સૈકાઓથી આવી જ માન્યતા છે.”
અવંતીના આ રાજા કે જેના પ્રભાવશાળી સમય તથા દૈવી ગુણોની જૈન અને બ્રાહ્મણ સાહિત્ય નેંધ લે છે તે પિતાને વિક્રમાદિત્ય “સૂર્ય સરખી પ્રભાવાળ”ના નામે ઓળખાવતે. આ ઉપાધિ તેની પછી થયેલ અનેક રાજાઓને એટલી પ્રિય થઈ પડી હતી કે ગમે તે વંશના રાજા પિતાની મેળે તે ઉપાધિ સ્વીકારી લેતા આ બતાવે છે કે પહેલે વિક્રમાદિત્ય મહાન નરપતિ હય તે જ આ ઉપાધિ આટલી એષણીય બની શકે.
આ તે વિક્રમાદિત્ય છે કે જેને જૈન સાહિત્યમાં જેને માન્ય છે. તેના પૂર્વજ ગભિલ્લા વિષે તેઓ કહે છે કે તેણે તે સમયના જૈન આચાર્ય કાલિકાચાર્યની સાધ્વી બેનનું હરણ કરી તેમનું અપમાન કર્યું હતું તેથી તેઓ સિથિયન રાજાઓમાંના કેઈ એક પાસે ગયા અને તેની મદદથી ફતેહમંદીથી તેનું વેર લીધું ડૉ. શાર્પેટિયરના શબ્દોમાં “આ દંતકથા જરા પણ ઐતિહાસિક રસવિનાની છે એમ નથી, કારણ કે તે જણાવે છે કે જુદી
જુદી દંતકથા અનુસાર ઉજજયનીના પ્રખ્યાત વિક્રમાદિત્યના પિતા ગભિલે જૈનાચાર્ય કાલકનું અપમાન કર્યું, તેઓ વેર લેવા કોના પ્રદેશમાં ગયા કે જેમને રાજા “રાજાઓને રાજા”
1. Edgerton, Vikrama's Adventures, pt. i., Int., p. lviii. C). Tawney, Prabandhacinlāmani, pp. 11 ff.; Satrunjaya Mahāimya, Sarga XIV, v. 103, p. 808.
2. Edgerton, op. cit., Int., p. lix.
3. Kalikācārya-katha, vv. 9-40, pp. 1-4. CJ. Konow, E. 1., xiv., p. 293. "Kalakasūri, the uprooter of Gardabhilla, lived 453 v."-Klatt. I.A., xj., p. 251. Cf. ibid., p. 247; Charpentier, C.H.I., 1., p. 168; Stevenson ( Mrs), pp. cil., p. 75; M.A.R., 1923, p. 11.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org