SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ કાંઈ નોંધ શિલાલેખમાં નથી. આ ઉપરાંત ખારવેલ ૧૧૩ વર્ષ પહેલાં કે ૧૧૩ મા વર્ષમાં બનાવેલી સીસાની પ્રતિકૃતિ કે તેના સમૂહના નાશ કરે છે. ખારવેલના ૧૧ મા વર્ષથી ૧૧૩ વર્ષ પહેલાં ગણીએ તે આ સીસાની પ્રતિકૃતિઓની તારીખ ઈ. સ. પૂર્વે ૨૮૫ આવે; પણ જો તેને ઠ્ઠી લીટી અનુસાર ઢ સંવત ગણીએ તો ઈ. સ. પૂર્વે ૩૪પ આવે. આ બનાવ અપ-રાજ ( હલકા રાજા ) વિષે છે અને તેમાં તેનું કાંઇક આક્રમણ હોય તેમ લાગે છે, પરંતુ તે કયું તે સમજાતું નથી. પ્રતિકૃતિએ જૈન મૂર્તિઓ હતી તે સ્પષ્ટ જ છે કેમકે તે વિષે કાંઈ ઉલ્લેખ નથી, અને અન્ય કોઈ ધર્મની મૂર્તિઓ હોય તો આ કૃત્ય ખારવેલની ઉદારતાને ખાધક ગણાય. સત્તરમી લીટીમાં જોઈશું તેમ ખારવેલ સર્વ ધર્મોને માન આપતા અને તેથી લાગે છે કે તે જૈન તીર્થંકરોની બેડાળ મૂર્તિઓ હશે. આ બનાવ ઉપરાંત તે લીટી જણાવે છે કે ખારવેલે ઉત્તરાપથ (ઉત્તર પંજાબ અને સરહદ પ્રદેશ ) પર ધાક બેસાડી. આરમી લીટી આપણા હેતુ માટે અગત્યની છે. ખારવેલના પ્રકરણ માટે જ તે અગત્યની છે એમ નહિ, પરંતુ ‘ નંદ અને તેને ધર્મ,’ ‘ જૈનધર્મ અને નંદવંશ’, ‘ જૈનધર્મની પ્રાચીનતા’ અને ‘ જેનામાં મૂર્તિપૂજા ’ આદિ પ્રશ્નો પર તે પ્રકાશ ફેંકે છે. આમાંના કેટલાક પ્રશ્નો પૂર્વે ચર્ચી ગયા છીએ અને બાકીના હવે ચર્ચાવાના છે. અહીં તે માત્ર આગળની લીટીના તેમજ આ લીટીના શાબ્દિક અનુવાદ માત્ર પૂરતા ગણાશે : “ બારમા વર્ષમાં ઉત્તરાપથના રાજાઓમાં ( તે ) ધાક ખસાડે છે અને મગધની પ્રજામાં ભય પેલાવી (તે) પોતાના હાથીઆને સુગાંગેયમાં પ્રવેશ કરાવે છે. તે મગધરાજ અહુતિમિત્રને નમાવે છે અને કલિંગની જૈનમૂર્તિ જે રાજા નંદ લઈ ગયા હતા તે પાછી મેળવી અંગ અને મગધની ખંડણી તરીકે રત્ના પણ (તે) કલિંગમાં લાવે છે.’” ૩ આમ તેણે વાયન્ય પ્રાંતા તાબે કરી મગધરાજને નમાવ્યેા. આ ઉપરાંત એમ જણાય છે કે મગધના રાજા નંદુ કલિંગની જિન પ્રતિમા પાટલીપુત્ર લઈ ગયા હાવા જોઈએ; અને બહુસતિ-મિત્રને હરાવી અંગ અને મગધમાંથી ખારવેલ તે મૂર્તિ અને કિંમતી વસ્તુઓ આરિસામાં લાળ્યા. તે મૂર્તિ ‘કલિંગ-જિન' તરીકે કેમ પ્રખ્યાત છે તે નવાઈ ના પ્રશ્ન છે; કારણ કે કલિંગ સાથે જેનું જીવન સંકળાયેલું છે એવા કઈ તીર્થંકરની એ નથી. મુનિ જિનવિજયના અર્થ પ્રમાણે એમ લાગે છે કે પ્રતિષ્ઠાના સ્થાનના નામે પણ પ્રતિમાએ ઓળખાય છે.' શત્રુંજય પરના ઋષભદેવ ‘ શત્રુંજય-જિન', આબુપરના ‘ અર્બુદ–જિન ' 6 ' 1. J.B.O.R.S., xiii., p. 232. 2. સવ-વાયતન-સંવારારજો. 3. सेहि वितासयतो उतरापथराजानो —Ibid., iv., p. 401, and xiii., p. 232. 4. C†. ibid., iv., p. 386. Jain Educationa International .—Ibid, iv., p. 403. मगधानं च विपुलं भयं जनेती अंगमागध-वसुं च नेयाति For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy