________________
કલિંગદેશમાં જૈનધર્મ
૧પ૭
બૃહદ્રથને ઇ. સ. પૂર્વે ૧૮૫ માં રાજ્યસન છેડાવ્યું હતું. મી. જાયસ્વાલ આ બનાવ ઈ. સ. પૂર્વે ૧૮૮ માં બનેલ માને છે, એટલે પુષ્યમિત્રે ઈ. સ. પૂર્વે ૧૮૫ થી ૧૪૯ યા ૧૮૮ થી ૧૫ર સુધી રાજ્ય કર્યું હોવું જોઈએ.
શિલાલેખની નવમી લીટી અગત્યની નથી. તેમાં બ્રાહ્મણોને જમીન દાનમાં આપ્યાની હકિકત છે જે હિંદુ રાજ્યમાં બ્રાહ્મણોને સામુદાયિક જમીન ભેટ અપાતી તે સૂચવે છે. જેમ આપણે ખારવેલના વૈદિક રાજ્યાભિષેક વિષે જોયું તેમ તે જૈન હોવાને કારણે પ્રજાના જાના સ્થાપિત હકો પર તરાપ આવવાનું કંઈ કારણ ન હતું. આ પરથી બીજું અનુમાન એ નીકળે છે કે તે ગમે તે ધર્મ માનવા છતાંય આર્યોનાં મૂળ બંધારણની તે સમયના સમાજ પર અસર હતીજ. મહાવીરના સમયના જૈન અને બૌદ્ધ ધર્મો પ્રચલિત બ્રાહ્મણધર્મ સામે સીધા બળવા તરીકે હતા, છતાં પણ સમાજમાં બીજી જ્ઞાતિઓ કરતાં તેમની જે પ્રતિષ્ઠા અને માન હતાં તે પર કોઈ અસર થઈ હતી. - જે કે આવી બાબતે વ્યક્તિગત વિશાળ ભાવના પર ઘણે આધાર રાખે છે, પરંતુ ખારવેલ અશોકની માફક સમ્રાટ હોવા છતાં ધર્માધ ન હતે. અશોકના શિલાલેખ માફક ખારવેલને શિલાલેખ પણ તેને ઉદાર અને ધર્માધ વૃત્તિથી પર હેવાનું પુરવાર કરે છે. સર્વધર્મસમભાવ એ તેનો ગુણ હતું અને તેની ઉદારવૃત્તિ અને સ્વભાવના કારણે તે પોતે પિતાને બધી જાતના લેકના પૂજક” તરીકે ઓળખાવે છે.*
દશમી લીટી જણાવે છે કે ખારવેલે ૩૮,૦૦,૦૦૦ સિકકાના ખર્ચે મહાવિજય ( વિજ્યનો પ્રસાદ) મહાલય બંધાવ્યું. તે પછી “શામ, દામ અને દંડ એ નીતિ અનુસાર વિર્ય માટે ઉત્તર હિંદ (ભારતવર્ષ) પ્રતિ તેણે પ્રસ્થાન કર્યું અને જેમના પર તેણે આકમણ કર્યું તેમની પાસેથી મૂલ્યવાન વસ્તુઓ તેણે મેળવી. હિંદી રાજનીતિનો ત્રીજો પ્રકાર જે ભેદ છે તે અહીં પડતું મૂકે છે તે નોંધવા જેવું છે અને કદાચ ખારવેલની રાજ્ય પદ્ધતિ માટે તે પ્રકાર અપમાનપ્રદ અને હીન પણ લાગ્યો હોય
આ પછીની લીટી પણ આપણા હેતુ માટે ખાસ ઉપયેગી નથી. ગધેડાના હળથી ખારવેલે મંડ (સિંહાસન) ઉખેડાવ્યાનું તેમાં છે તે સિંહાસન કઈ હલકા રાજાનું કહ્યું છે; રાજાની હલકાઈ જૈનધર્મ વિરુદ્ધ તેના આચરણને અંગે હશે. અહીં જે સિંહાસનની વાત છે તે શણગારેલ બેઠક યા બિછાવેલ ગાદી પણ હોય. તે ખરાબ રાજાના વ્યક્તિત્વની
1. Smith, Early History of India, p. 204. 2. J.B.O.R.S, xiii., p. 243. 3. C. ibid, iv, p. 400, and xii, p. 229. 4. સવ–Ti _yગ • • -Ibit, lv, p. 103. 5. C. ibid., lv, p. 400. 16. C. ibid, and xiii., p. 230. 7. C. ibid.
8. Ibid.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org