________________
રાજવંશમાં જૈનધર્મ
૧૩૩ ઇચ્છા છે. તેવી જ રીતે ખાસ ભારપૂર્વક તે કહે છે કે “એજ દષ્ટિએ સર્વ વર્ગો પ્રતિ હું લક્ષ રાખું છું. અને તેમને જુદી જુદી જાતના સન્માનથી હું સંપું .”૨
ઉત્તર તેમજ દક્ષિણમાં “બૌદ્ધો, બ્રાહ્મણ, આવકે અને નિર્ચ તેમજ અન્યની સંભાળ માટે” અશકે ધર્મ મહામત્રોને નીમ્યા હતા. તેની અસાંપ્રદાયિક નીતિ નીચેના શબ્દોમાં ખાસ તરી આવે છે
મહારાજ કહે છે કે “જે કઈ પિતાના સંપ્રદાય માટે અંધશ્રદ્ધાથી અભિમાન કરે છે અને બીજાની નિંદા કરે છે તે પિતાના સંપ્રદાયનું ભારેમાં ભારે નુકસાન કરે છે.” *
બરાબરની ગુફાના શિલાલેખો માટે રિમથ કહે છે કે “આ બધા લેખે મહત્વના છે અને તે સ્પષ્ટ સાબીત કરે છે કે અશકની બધા સંપ્રદાયને માન આપવાની હાર્દિક આજ્ઞા હતી.૫ તેના અન્ય શિલાલેખે માટે પણ તેમજ છે; તેના ઉદાર શાસન સમયમાં ઉત્તર હિંદમાં જૈન ધર્મની પરિસ્થિતિ વિષે પ્રત્યક્ષ પ્રમાણ નથી, તોપણ ઉપરનું અવલોકન બીજું કંઈ નહિ તે ચંદ્રગુપ્ત પિતાની યશસ્વી કારકિર્દી પહેલાં નહિ તે તેના અંતમાં સ્વીકારેલા ધર્મ પ્રત્યે તેના મહાન ઉત્તરાધિકારીનું વલણ સ્પષ્ટ કરે છે.
આ દંતકથાની પરંપરાગત અસરનું આપણું અનુમાન અશકના પત્ર સંપ્રતિએ આર્ય સુહસ્તિન પાસે જૈનધર્મ સ્વીકાર્યો તે પરથી સાચું ઠરે છે. સંપ્રતિની જૈનધર્મ પરની આસક્તિ તપાસતાં પહેલાં અશોકના ઉત્તરાધિકારી કેણ હતા તે તપાસવું જોઈએ. કમનસીબે ડ રાયધરી કહે છે કે “કઈ કૌટિલ્ય અથવા મેગેસ્થનીએ પછીના મો વિષે કાંઈ ઉલ્લેખ કર્યો નથી. એક યા બે શિલાલેખ તથા બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથની અપૂર્ણ માહિતી અશોકના ઉત્તરાધિકારીને સવિસ્તર ઇતિહાસ શોધવા પૂરતી નથી.”
પુરાણે અશોકના ઉત્તરાધિકારી વિષે એકમત નથી, અને જુદા જુદા લેખકના વિવિધ અભિપ્રાયનો સમન્વય કરે સહેલ નથી. અશોકના પુત્ર કુનાલની વાસ્તવિકતા સે સ્વીકારે છે, પરંતુ તેના પછીના વિષે દંતકથાઓ જુદી પડે છે. કુનાલ કેવા વિચિત્ર સગોમાં અંધ બને અને “રાજ્યવ્યવસ્થા કરવા અશક્ત થતાં તેણે પિતાના પ્રિય પુત્ર
1. Separate Rock Edicts : Jaugada. I (F.G.), II (E.F.); cf. Hultzsch, op. cit., pp. 114-117. 2. Delhi-Topra Pillar Edict VI (D.E.); cf. Hultzsch, op. cit. p. 129; Int., p. xlviii. 3. Ibid., Int, p. xl. 4. Girnar Rock Edict XII (H); cf. Hultzsch, op. cit., p. 21. 5. Smith, op. cit., p. 177. Cf. Hultzsch, op. cit., Int., p. xlviii. 6. Cf. Jacobi, Parisisht aparvan, p. 69; Bhandarkar, op. cit., p. 135. 7. Raychaudhuri, op. cit., p. 220.
8. Cf. Pargiter, op. cit., pp. 28. 70; Cowell and Neil, op. cit., p. 430; Kalpa-Satya, SubodhikaȚikā, stut 163 ; Raychaudhuri, op. cit., p. 221.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org