SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 8િ કિ ક ક વીર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | ૨. આવશ્યક ચૂર્ણિ -વસુમિત્રાની કથા ઉજ્જૈન નગરીમાં યજ્ઞદત્ત, જિનદાસ અને વિષ્ણુદત્ત નામના ત્રણ જણાં શ્રાવકકુળમાં જન્મ્યા હતા. તેમને ત્રણ પુત્રી જયશ્રી, વિજયશ્રી અને શ્રી નામની ઉત્પન્ન થઈ. તેની બહેનપણી બ્રાહ્મણપુત્રી વસુમિત્રા થઈ. ત્રણે પુત્રીઓ સાધ્વીજી મહારાજ પાસે જાય છે અને એમની પાસેથી ધર્મ સાંભળીને સમકિત ધારણ કરે છે. સાધ્વીજી મહારાજ પાસેથી રાત્રિભોજન ત્યાગની વાત સાંભળે છે. જયેષ્ઠા પૂર્વે સ્વીકારેલાં વ્રતોને યાદ કરે છે. વસુમિત્રાએ રાત્રિભોજન ત્યાગનું વ્રત સ્વીકાર્યું હતું. વસુમિત્રા લગ્ન કરીને સાસરે ગઈ અને કેટલોક સમય વ્રતનું પાલન કર્યું. એક દિવસ તેના સસરાએ કહ્યું કે હે પુત્રી, આપણા કુળમાં નિશિભોજન અને માંસાહારનો નિષેધ નથી એમ કહીને સસરાએ માંસાહાર કરવા માટે આગ્રહ કર્યો. વેદમાં પણ આ બાબતનો ઉલ્લેખ થયો છે. સસરાના વિચારો જાણીને વસુમિત્રાએ વિચાર્યું કે નિશિભોજન નિયમ પાળવા માટે કોઈ આગ્રહ કરવા જેવો નથી પછી વસુમિત્રાએ સસરાને કહ્યું કે જેની પાસેથી નિયમ ગ્રહણ કર્યો છે તેમને સમર્પણ કરી દઉં. ત્યારપછી સસરા અને વહુ ઉર્જન તરફ ગયાં. સાંજનો સમય હતો. તેઓ બંને ઘરે પહોંચ્યા. સાંજની રસોઈ થતી હતી તે પીઠડાની ઉપર સર્પ હતો. તેને ઉંદરે ડંખ મારવાથી ટુકડા થઈને (સર્પ) ભોજનની સામગ્રીમાં પડ્યો. રાત્રે વસુમિત્રા અને સસરાએ ભોજન કર્યું નહિ. બાકીનાએ ભોજન કર્યું તે મૃત્યુ પામ્યા. સવારે અન્ય લોકોને ખ્યાલ આવ્યો કે રાત્રિભોજનના નિયમથી સસરા અને વહુ બચી ગયા. ચાઉલ દત્તનો પુત્ર આદિત્ય પદારા સેવન અને માંસાહારમાં રક્ત હતો. તેને વસુમિત્રાને ભોજનમાં રાંધેલું માંસ ખાવા માટે આગ્રહ દિક રિ વીર ધીર ર ર ર ર ર ર ર ર કિ હરિ વીર વીર હિ 8િ 8 | ૧૪) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy