SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા અને શાંતિ ભગવાન મહાવીરે કહ્યું – સચ્ચે ભયનં – સત્ય જ ભગવાન છે. જ્યાં સત્ય છે ત્યાં અહિંસા છે. જ્યાં સત્ય છે ત્યાં શાંતિ છે. સત્ય, અહિંસા અને શાંતિ એ ત્રણેય પરસ્પર સાથે જોડાયેલાં છે અને તેમને ક્યારેય અલગ પાડી શકાતાં નથી. પ્રશ્ન છે અહિંસાની પ્રતિષ્ઠાનો અહિંસાની વાત ત્યાં સુધી ફલિત નહિ થાય જ્યાં સુધી માણસના જીવનમાં સંયમને પ્રતિષ્ઠા નહિ મળે. મને આશ્ચર્ય એ વાતનું છે કે અહિંસાની વાતો કરનારા લોકો પણ ઇચ્છા સંયમ ઉપર ધ્યાન આપતા નથી. ઇચ્છાઓની વૃદ્ધિ દ્વારા હિંસાને પોષણ મળે છે. જ્યાં સુધી ઇચ્છાનો સંયમ નહિ થાય ત્યાં સુધી અહિંસાની વાતનું કોઈ સાર્થક પરિણામ નહિ મળે. આર્થિક વિષમતા આજની મુખ્ય સમસ્યા છે. વ્યક્તિગત સ્વામિત્વ અસીમ બની રહ્યું છે. વ્યક્તિગત સ્વામિત્વનું ન હોવું વ્યાવહારિક નથી, પરંતુ વ્યક્તિગત સ્વામિત્વનું અસીમ હોવું અન્યાય છે. અહિંસાની પ્રતિષ્ઠા માટે અહિંસા પૂર્વે પરિગ્રહના સીમાંકન ઉપર ધ્યાન આપવું આવશ્યક છે. મહાવીરનું અહિંસા-દર્શન : 95 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy