________________
બની ગયું છે. થોડાંક વર્ષ સુધી આમ ચાલ્યા કરે છે પછી અવાંછનીય પરિણામની ઘોષણા થાય છે. ઉપભોક્તા તેનો એટલો બધો ગુલામ બની જાય છે કે પછી અનિષ્ટ પરિણામો જાણવા છતાં તેમને છોડી નથી શકતો અને પર્યાવરણનું અસંતુલન થઈ રહ્યું છે એમ જાણવાછતાં વૈજ્ઞાનિકો પોતાના હાથ પાછા ખેંચી નથી શકતા. આ માનસિક વિષમતા છે. તેનાથી હિંસાને સંજીવન મળે છે.
માનસિક વિષમતાનું એક બીજું રૂપ છે – પરિસ્થિતિ સાથે સામંજસ્ય સ્થાપી ન શકવું. મનવાંછિત વસ્તુ મળવાથી ખુશ થવું અને ન મળવાથી નાખુશ થવું, મનની વિષમ સ્થિતિ છે. સુખ-દુઃખ, જીવન-મૃત્યુ, નિંદા-પ્રશંસા - આ બધી તંદ્રાત્મક સ્થિતિઓ છે. મનની વિષમતાને એક જ ભાષામાં સમજી શકાય છે.
અહિંસાનો મુખ્ય આધાર ઃ સમતા - સમતાનો એક આકાર છે. તમામ જીવો પ્રત્યે સમતાની અનુભૂતિ. તમામ જીવો શરીર, જાતિ, વર્ણ વગેરે વૈવિધ્યથી વિભક્ત બનેલા છે. વિભક્તમાં અવિભક્તને શોધવું તે અહિંસાનો મુખ્ય આધાર છે. સમતાવાદી દષ્ટિનો વિકાસ થયા વગર આ શોધ શક્ય બનતી નથી. ભેદ અને અભેદ બંનેને મહાવીર એક સાથે સ્વીકારતા હતા. માત્ર ભેદ અને માત્ર અભેદ – બંને વ્યવહાર અને તર્કથી અટવાયેલા છે. ભેદ અને અભેદનો સમન્વય એક સમાધાન છે. ભેદમાં અભેદ શોધવાથી જ સમતાનો સિદ્ધાંત પ્રાણવાન બને છે.
વિષમતાઃ કારણ અને નિવારણ
મનની વિષમતા વ્યાવહારિક જગતમાં અનેક વિષમતાઓ પેદા કરે છે. વ્યવહાર અને સિદ્ધાંત વચ્ચેનું અંતર અવીતરાગ માણસની સહજ પ્રવૃત્તિ છે. ઘણા લોકો આ અંતરને તોડવાનો પ્રયત્ન જ નથી કરતા. કેટલાક લોકો એ દિશામાં પ્રયત્ન કરે છે પરંતુ લક્ષ્યબિંદુ સુધી પહોંચવામાં ખૂબ લાંબો સમય લાગી જાય છે. આર્થિક વિષમતા માનસિક વિષમતાનું એક પરિણામ છે. સમાજવાદી ચેતનાનો વિકાસ થયા વગર આ સમસ્યાનું સમાધાન શક્ય નથી. તમામ જીવોની સમતાના નારા ગજાવનારા લોકો પોતાના માટે વધારાની સુવિધાઓ ઝંખે છે. વધારાની
મહાવીરનું અહિંસા-દર્શન - 59.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org