________________
અને ફેકી દો. જીવનનો પ્રવાહ આ દિશામાં વળી ગયો છે. આ પ્રવાહમાંથી માનસિક અસંતુલન, અતૃપ્તિ અને માનસિક તનાવ પેદા થયાં છે. એમાંથી પર્યાવરણનું અસંતુલન પેદા થઈ રહ્યું છે. પ્લાસ્ટિક તેનું એક ઉદાહરણ બની શકે છે. અત્યારે પ્લાસ્ટિકના નિર્માણની સ્પર્ધા ચાલી રહી છે. ચારે તરફ પ્લાસ્ટિકમાંથી તૈયાર થયેલા પદાર્થો જોવા મળે છે. એ બનાવવાનું મુશ્કેલ નથી પરંતુ એમને ફેંકવાની સમસ્યા છે. એ પદાર્થો માટીની જેમ માટીમાં ભળી જતા નથી. તે પોતાનું સ્વરૂપ જાળવી રાખે છે. જો તેને બાળી નાખવામાં આવે તો ઝેરી ગેસ પેદા થાય છે તેથી પર્યાવરણ દૂષિત બને છે. એક દિવસ એવો આવશે કે જ્યારે પ્લાસ્ટિકની ચીજોને ફેંકવા માટે પૃથ્વી ઉપર કોઈ જગા નહિ હોય અને સમુદ્રો પણ તેને પચાવી નહિ શકે. આ સમસ્યા માત્ર પ્લાસ્ટિક દ્વારા જ પેદા થઈ નથી, અનેક પદાર્થોના નિર્માણ થકી પેદા થયેલી છે. સુવિધાવાદી અને વ્યાવસાયિક દૃષ્ટિકોણ સાથે જોડાયેલો માણસ તેની ઉપેક્ષા કરી રહ્યો છે. આ એક ગંભીર સંકટ છે અને આ ધરતી માટે તથા સમગ્ર માનવજાત માટે તે ગંભીર સંકટ છે. અહિંસાની દષ્ટિનો વિકાસ કર્યા વગર આ સમસ્યાનો ઉકેલ શક્ય નથી.
જીવનશૈલીના ત્રણ પ્રકાર - હિંસા અને પદાર્થ – એ બે વચ્ચે ગાઢ અનુબંધ છે. પદાર્થનો અધિક વિસ્તાર હિંસાની વ્યાપકતાને જન્મ આપે છે. પદાર્થવાદી સંસ્કૃતિને વિકસિત માની શકાય છે, હિંસાના વિસ્તારથી મુક્ત કહી શકાતી નથી. ભગવાન મહાવીરે ત્રણ પ્રકારની જીવનશૈલીનું પ્રતિપાદન કર્યું -
(૧) અલ્પ ઇચ્છા - અલ્પ હિંસા – અલ્પ પરિગ્રહ (૨) મહા ઇચ્છા – મહા હિંસા – મહા પરિગ્રહ (૩) ઇચ્છા મુક્તિ - અહિંસા - અપરિગ્રહ
જીવનની ત્રીજી શૈલી સામાજિક જીવનની નથી. અહિંસા અને અપરિગ્રહ માટે સંપૂર્ણ સમર્પિત થઈ જવું તે એક વિશેષ પ્રયોગ છે. જેમની આધ્યાત્મિક ચેતના ખૂબ વિકસિત હોય છે તેમના જ માટે આ શક્ય બને છે. બાકીની બે
મહાવીરનું અહિંસા-દર્શન - 29.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org