________________
જ્યારે શરૂ શરૂમાં કોમ્યુટર બન્યું ત્યારે તેનું કદ મોટું હતું, તેની ગતિ ખૂબ ધીમી હતી. અત્યારે એવા પ્રયત્નો સફળ થઈ રહ્યા છે કે કોમ્યુટરનું કદ નાનામાં નાનું બને અને તેની ગતિ તીવ્રમાં તીવ્ર બને.
જૈન આચાર્યોએ “ભૂવલય' નામના એક ગ્રંથની રચના કરી. તે ગ્રંથ માત્ર એક જ પૃષ્ઠનો છે, જેમાં માત્ર આંકડા લખેલા છે. બેંગ્લોરના એક વિદ્વાને તે એક પૃષ્ઠના આધારે સત્તાવન ભાષાઓ શોધી કાઢી, ગણિતની હજારો ફોર્મ્યુલાઓ શોધી કાઢી. તેમનો દાવો છે કે, જગતમાં કોઈ પણ ભાષા એવી નથી કે જે એમાંથી ન કાઢી શકાય ! ગણિતની કોઈ એવી ફોર્મ્યુલા નથી, કે જે આ ગ્રંથમાંથી ન મળી શકે. અવધાનઃ એક પ્રયોગ
કોમ્યુટરના સંદર્ભમાં જો જૈનદર્શનના સિદ્ધાંતોને નજર સામે રાખવામાં આવે તો આ ક્ષેત્રમાં હજી પણ વધારે ગતિ થઈ શકે તેમ છે. ગણિતની એક વ્યવસ્થા છે જેને ભંગ કહેવામાં આવે છે. બે શબ્દો મળે છે - ગમિક અને ભંગ. જ્યારે અનુમાપક કોમ્યુટરનો અભ્યાસ કરવામાં આવે ત્યારે ગમિકની વાત સમજાય છે. પૂર્વોનું જ્ઞાન પણ સૂત્રરૂપે એટલું મોટું નહોતું, જેટલું અર્થરૂપે હતું. સૂત્ર તો સંખ્યાપરિમાણ હતાં, પરંતુ અર્થ અત્યંત વિસ્તૃત હતો. મંગવ્યવસ્થા પણ ખૂબ અદ્ભુત છે. એક જ વાતના એટલા બધા ભંગ બની જાય છે, સેંકડો-હજારો સુધીના વિકલ્પો બની જાય છે ! માણસની અંદર એવી ક્ષમતા વિકસિત થાય છે કે તે એક સાથે અનેક વસ્તુઓ ગ્રહણ કરી લે છે. જૈન મુનિઓ અવધાન વિદ્યાનો એક પ્રયોગ કરે છે. તેમાં એક વ્યક્તિ શ્લોક વાંચે છે, બીજી વ્યક્તિ રંગ બતાવે છે, ત્રીજી વ્યક્તિ વાત કરે છે, ચોથી વ્યક્તિ સંગીત સંભળાવે છે. આમ દસ વ્યક્તિઓ એક જ સમયે દસ પ્રકારનાં વિવિધ કાર્યો કરે છે. અવધાનકાર તે તમામ બાબતોને એક સાથે ગ્રહણ કરી લે છે અને કલાકો પછી તેને તે જ સ્વરૂપે રજૂ કરે છે. અવધાનના ક્ષેત્રમાં એક સાથે એક હજાર પાંચસો પ્રશ્નોના ઉત્તરો અપાઈ ચૂક્યા છે.
ચેતના તરફ પ્રસ્થાન થાય
કોયૂટર માણસનું સહાયક યંત્ર છે, એ કોઈ આશ્ચર્યની વાત નથી. જૈન દર્શનના બે પારિભાષિક શબ્દો છે – ક્ષયોપશમ અને ઉદય. ક્ષયોપશમનો ઉત્કર્ષ
ન મહાવીરનું અહિંસા-દર્શન - 198 |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org