________________
એક પૂર્વનું જ્ઞાન અધિક છે. કેટલો વિશાળ છે આ જ્ઞાનરાશિ ! હાથીની ઉપમા દ્વારા પણ તેની રજૂઆત થઈ છે, પરંતુ આ ઉપમાઓ અધિક વ્યાપક છે. એક પૂર્વની જ્ઞાનરાશિ આટલી બધી વિશાળ છે!
આટલી વિશાળ જ્ઞાનરાશિને વાંચવાનું કઈ રીતે શક્ય છે? આટલી વિશાળ જ્ઞાનરાશિને યાદ રાખવાનું અને તેનું પુનરાવર્તન કરવાનું પણ કઈ રીતે શક્ય છે? આ એક મોટો પ્રશ્ન છે. જ્યાં સુધી જટિલતમ ગણતરી, તીવ્રતમ વેગ અને અલ્પતમ સમયવાળી વાતનો સુમેળ થાય નહિ ત્યાં સુધી એ શક્ય બની શકે નહિ. પૂર્વજ્ઞાનની સાથે ત્રણેય (જટિલતમ ગણતરી, તીવ્રતમ વેગ, અલ્પતમ સમય) સિદ્ધાંતો જોડાયેલા હતા.
મહાપ્રાણ ધ્યાન: એક સમાધાન
કોમ્યુટર યંત્રમસ્તિષ્ક છે, વિદ્યુતનું મસ્તિષ્ક છે. તે માણસની બુદ્ધિનું સહાયક મસ્તિષ્ક છે. પ્રાચીન કાળમાં મસ્તિષ્કના કોયૂટરને આ ત્રણ સિદ્ધાંતોના આધારે એટલું બધું વિકસિત કરવામાં આવ્યું હતું કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી કે, તેના અંગે વિચાર પણ કરી શકતા નથી.
આ એક પૂર્વની જ્ઞાનરાશિની ચર્ચા છે. એવા ચૌદ મહાગ્રંથો,જેમાં આબદ્ધ જ્ઞાનરાશિ માટે કોઈ ઉપમા જ નથી, તે અનુપમેય છે. જે વ્યક્તિએ આવા ચૌદ પૂર્વોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે કેવી રીતે તેને યાદ રાખશે, અને કેવી રીતે તેનું પ્રત્યાવર્તન કરશે?
આ પ્રશ્નના સમાધાન માટે મહાપ્રાણ ધ્યાનના યોગનું આલંબન લેવામાં આવ્યું. આ તીવ્રતમ વેગ મહાપ્રાણ ધ્યાનનો વિકાસ છે. જે વ્યક્તિ મહાપ્રાણ ધ્યાનનો વિકાસ કરી લે છે, તે વ્યક્તિ જરૂર પડે તો અડતાલીસ મિનિટની સમયમર્યાદામાં એટલી વિશાળ જ્ઞાનરાશિને સ્મૃતિમાં ભરી લે છે. કલ્પનાતીત સત્ય
કોમ્યુટરમાં અનેક યુનિટ છે, અનેક એકક છે. એક છે સમસ્યાનું એકમ, એક છે સ્મૃતિનું એકક, એક છે ગણતરીનું એકક અને એકછે સમાધાનનું એકક. સમસ્યા, સ્મૃતિ, ગણતરી અને સમાધાન એ ચાર કોમ્યુટરના મુખ્ય કાર્યો છે. પ્રશ્ન થયો કે શું એક ચતુર્દશપૂર્વી, આટલા વિશાળ જ્ઞાનરાશિને યાદ કરનાર વ્યક્તિ
| મહાવીરનું અહિંસા-દર્શન - 193
12
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org