________________
જૈનધર્મતી | વૈજ્ઞાતિકતા
જૈનધર્મ વૈજ્ઞાનિક ધર્મ છે. વર્તમાનયુગ વૈજ્ઞાનિક યુગછે તેથી કોઈપણ ધર્મને વૈજ્ઞાનિક કહેવામાં ગૌરવનો અનુભવ થાય છે. આવી ગૌરવાનુભૂતિની ભાષામાં જૈનધર્મને વૈજ્ઞાનિક ધર્મ કહેવાનું સહજ-સરળ છે. હું એ સરળ ભાષાનો પ્રયોગ કરી રહ્યો નથી. તેની વૈજ્ઞાનિક પ્રકૃતિને ધ્યાનમાં રાખીને તેને વૈજ્ઞાનિક ધર્મ કહી રહ્યો છું. મનુષ્ય જ પ્રમાણ છે
જૈનધર્મની વૈજ્ઞાનિક પ્રકૃતિનું પ્રથમ સૂત્ર છે- સ્વયં આ છે સત્યની શોધ. જૈનદર્શનના મત મુજબ માણસને સત્ય કોઈ અનિર્વચનીય સત્તા દ્વારા ઉપલબ્ધ થતું નથી. તે સ્વયં પોતાની સાધના દ્વારા સત્યની શોધ કરે છે અને તેને ઉપલબ્ધ થાય છે. મનુષ્ય જ સૌથી મોટું પ્રમાણ છે. એ જ આગમ અને શાસ્ત્ર છે. ભગવાન મહાવીરે પુરુષના પ્રામ પનું પ્રતિપાદન કર્યું. કોઈ ગ્રંથનું પ્રામાણ્ય તેમને માન્ય નથી. જૈનદર્શનની વિચારધારાને સ્વીકારનાર વ્યક્તિ, પુરુષની અનુયાયી હોય છે, કોઈ ગ્રંથની અનુયાયી નથી હોતી.
સત્ય અનંત છે. પ્રત્યેક દ્રવ્યમાં અનંત પર્યાયોનું અસ્તિત્વ હોય છે. નવા
| મહાવીરનું અહિંસા-દર્શન - 180.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org