________________
હાથમાં લો અને જ્યાં સુધી તે નીચે ન ઊતરી જાય ત્યાં સુધી દરેક ક્રિયાને બરાબર જોતા રહો. કોળિયો લીધો, હાથ ઊંચક્યો, કોળિયો મોંમાં મૂક્યો, તેને ચાવવાનું શરૂ કર્યું, તેની અંદર લાળ ભળી રહી છે, તે નીચે ઊતરી રહ્યો છે, અન્નનળી દ્વારા તે નીચે ઊતરી ગયો છે. આ રીતે ભોજનની પ્રત્યેક ક્રિયા પ્રત્યે જાગરૂક રહેવું તેને બરાબર જાણતા રહેવું, તે આહારયોગ છે. બીજો પ્રયોગ છે-ગમનયોગનો. જ્યારે ચાલીએ, પ્રત્યેક કદમ ઊઠે, પગ ઊંચકાય, ત્યારે બરાબર જાણતા રહીએ કે, પગ ઊંચકાઈ રહ્યો છે. આ પગ આગળ વધ્યો, આ પગ પાછળ રહ્યો, આ પગ આગળ વધ્યો, આ પગ પાછળ ગયો અને હું આગળ જઈ રહ્યો છું. પ્રત્યેક ક્રિયાને જાગરુકતાપૂર્વક જાણતા રહીએ. ધ્યાન એટલે માત્ર અડધો કલાક આંખો બંધ કરીને બેસી જવું એટલો જ અર્થ નથી. ધ્યાન તો ચેતનાનું પૂર્ણ પરિવર્તનછે, ટ્રાન્સફોર્મેશન છે, રૂપાંતરણ છે. શક્તિસંચયનું સૂત્ર
શરીર, વાણી અને મન એ ત્રણેય સાધનો છે, જેના દ્વારા આપણે કામ કરીએ છીએ. સમસ્યા એ છે કે એ ત્રણેય સંગાથ કરતાં નથી. એ ત્રણેય વચ્ચે અલગતા પેદા થઈ ગઈ છે. શરીર ક્યાંક બેઠું છે અને મન ક્યાંક ભટકે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની રીતે માળા જપે છે, પોતાના ઈષ્ટનું નામ લે છે, પૂજા કરે છે. તેમને પૂછવામાં આવે કે જ્યારે તમે ભગવાનનું ભજન કરો છો, માળા જપો છો, ઇષ્ટનું ધ્યાન ધરો છો ત્યારે શું તમારું મન સાથે સાથે ચાલે છે ખરું કે અન્યત્ર ભટકી જાય છે? માત્ર એટલું જ કરો છો કે બીજું પણ કાંઈ કરો છો? તેમનો ઉત્તર મળશે કે શરીર તો એ કામ કરે છે, પરંતુ ત્યારે મન ક્યાંક બીજે ભટકતું હોય છે.
આયુર્વેદના એક ખૂબ પ્રસિદ્ધ આચાર્ય થઈ ગયા -ચરક. તેમણે કહ્યું, ‘તન્મના ભુજીત’ ભોજનમાં મન લગાવીને ભોજન કરવું જોઈએ. આપણું મન ક્યાંક બીજી જગાએ હોય અને શરીર આપણી સાથે હોય તો આપણી ઊર્જાનો, શક્તિનો ખૂબ વ્યય થાય છે. ઊર્જાને, શક્તિને સંચિત રાખવાનું પ્રથમ સૂત્રછે – શરીર અને મન બંને સાથેસાથે ચાલવાં જોઈએ. આ ધ્યાન ચોવીસ કલાક કરી શકાય છે. દરેક વ્યક્તિ પોતાની ભૂટી ઉપર, પોત-પોતાના કામ ઉપર લાગેલી છે. સૌએ પોતપોતાના કામ ઉપર જવાનું હોય છે. જો ધ્યાન દ્વારા એવી ભૂમિકા ઉપર પહોંચી જવાય કે શરીર અને મન બંનેને સાથેસાથે ચલાવી શકાય, તો જીવનમાં સફળતાનો વિકાસ થશે.
મહાવીરનું અહિંસા-દર્શન - 164
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org