________________
કરવાની કોઈ જરૂર રહેતી નથી. અતીત અને ભવિષ્યથી મુક્ત થઈને વર્તમાનમાં જીવવું એ આનંદના સ્રોતને પ્રગટ કરવાનું ઉત્તમ સાધન છે. ભૂત અને ભવિષ્ય - એ બંનેથી અળગા થઈને જો વર્તમાનના પ્રવાહમાં ચાલી શકાય તો એટલો બધો આનંદ જાગી ઊઠશે કે પછી નશો કરવાની કોઈ જરૂર જ નહિ પડે. પ્રેક્ષાધ્યાનના એક પ્રશિક્ષક ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. એ ટ્રેનમાં એક મુસલમાન પરિવાર પણ હતો. પ્રશિક્ષકે જોયું તો મુસલમાન પરિવારમાં પરસ્પર ઝઘડો ચાલતો હતો, સંઘર્ષ ચાલી રહ્યો હતો. તેણે એ તરફ ધ્યાન આપ્યું. પરિવારના તમામ લોકો એક યુવકને કહેતા હતા, તું ખૂબ સિગારેટ પીવે છે, સિગારેટ પીવાનું છોડી દે. પેલા લોકો સિગારેટ પીવાની મનાઈ કરતા હતા અને એ યુવક એક પછી એક સિગારેટ સળગાવતો જતો હતો. એક સિગારેટ બુઝાતી અને બીજી સળગી ઊઠતી. યુવક કહેતો હતો કે હું સિગારેટ છોડી શકું તેમ નથી. આ કારણે અડધો કલાક સુધી તીવ્ર સંઘર્ષ ચાલ્યો. થોડાક સમય પછી ઝઘડો જરાક શાંત પડ્યો. પ્રશિક્ષકે કહ્યું, ભાઈ ! હું તને એક વાત કહેવા માંગું છું. તું સિગારેટ પીવાનું ભલે નછોડી શકતો હોય, પરંતુ હું તને એક નવી સિગારેટ પીવાનું શીખવાડી દઉં તો? યુવક બોલ્યો, જો કોઈ નવી રીત મળી જાય તો હું છોડી શકું. એમાં શું? પ્રશિક્ષકે કહ્યું, જ્યારે તું સિગારેટનો કશ ખેંચે છે ત્યારે તને મજા આવે છે? યુવકે હકારમાં માથું હલાવ્યું.
જ્યારે તું ધૂમાડો કાઢે છે ત્યારે પણ તને મજા આવે છે? યુવકે કહ્યું, હા. પ્રશિક્ષકે કહ્યું, તું ખૂબ ઝડપથી શ્વાસ લે. સિગારેટનો કશ ખેંચતો હોય એ રીતે શ્વાસ લે અને ખૂબ ઝડપથી શ્વાસ બહાર કાઢ, જાણે ધૂમાડો કાઢતો હોય ! પેલા યુવકને આ સલાહ અનુકૂળ લાગી. તેણે એ પ્રયોગ શરૂ કર્યો. થોડાક સમય પછી તેને આનંદની અનુભૂતિ થવા લાગી. સિગારેટ પ્રત્યેની વિસ્તૃષ્ણા જાગી ગઈ. તેણે સંકલ્પ કરતાં કહ્યું કે, હું ક્યારેય સિગારેટ છોડી શકવાનો નહોતો, પરંતુ હું હવે નવી સિગારેટ પીવાનું શીખી ગયો છું તેથી કુરાનના સોગંદ ખાઈને કહું છું કે હવેથી હું સિગારેટને હાથ નહિ લગાડું. આનંદનો સ્રોત
શ્વાસ સાથે આપણી ચેતના જોડાઈ જાય છે ત્યારે આપણે વર્તમાનમાં જીવવાનું શીખી જઈએ છીએ. માણસ વર્તમાનમાં જીવવાનું શીખી લે તો આનંદનો ભીતરનો સ્રોત ખૂલી જાય છે.જ્યારે બહારથી આનંદ લેવાની જરૂરિયાત ઘટી જાય
મહાવીરનું અહિંસા-દર્શન - 156
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org