________________
જ્યાં સુધી નિયંત્રણ કરવાની પોતાની ક્ષમતાનો વિકાસ કરવામાં આવતો નથી, જ્યાં સુધી પોતાના ઈમોશન્સ ઉપર નિયંત્રણ કરવાની આપણી ક્ષમતા વધતી નથી, ત્યાં સુધી ટ્રેક્વેલાઈઝર્સ, શામક દવાઓ અને શામક પ્રયોગો આપણને બચાવી શકતાં નથી. આપણા જીવનની પ્રથમ શરત છે – નિયંત્રણનો વિકાસ. તે પ્રત્યેક વ્યક્તિ માટે જરૂરી છે, ભલે પછી તે વ્યક્તિ ભણેલી-ગણેલી હોય કે અભણ હોય. આપણે એવા લોકોને જોયા છે કે જેઓ ખૂબ ભણેલા-ગણેલા હોય, ખૂબ વિદ્વાન હોય, છતાં તેમનું પારિવારિક જીવન એટલું દુઃખી હોય છે કે જેની કોઈ હદ નથી હોતી. ભણતર દરેક બાબતમાં ઉપયોગી નથી બનતું. જીવનનું એક પાસું છે ભણતર. અધ્યયન આપણું એક પાસું છે. આપણે જો તમામ પાસાંની ઉપેક્ષા કરવા લાગીએ, તેમને નકારવા લાગીએ તો જીવન ચાલી શકે નહિ. પીનિયલ પિયૂટરી કરતાં વધુ શક્તિશાળી છે
મસ્તિષ્કના કેટલાક વિશિષ્ટ ભાગ આપણા વ્યવહારના નિયામક હોય છે. જો તેમને સક્રિય કરવામાં આવે તો આપણી નિયંત્રણ ક્ષમતા વધી શકે છે. કપાળનો મધ્યભાગ કે જેને પ્રેક્ષાધ્યાનમાં જ્યોતિકેન્દ્ર કહેવામાં આવે છે - તે આપણા ઈમોશનલ એરિયાનો મહત્ત્વપૂર્ણભાગ છે. મનોવિજ્ઞાનની ભાષામાં તે કષાય જાગરણનું ક્ષેત્ર છે, ઈમોશનલ એરિયાછે. લિમ્બિક સિસ્ટમ અને હાઈપોથેલેમસનું આ ક્ષેત્ર, જ્યાં આપણી સઘળી ભાવધારાઓ પેદા થાયછે અને વધેછે - જો એ ક્ષેત્ર ઉપર આપણું નિયંત્રણ હોય તો આપણે સંવેગોની દૃષ્ટિએ, આવેગોની દૃષ્ટિએ અત્યંત આશ્વસ્ત થઈ શકીએ. જે વ્યક્તિ આ પીનિયલ ગ્લંડના ક્ષેત્ર ઉપર ધ્યાન કરે છે, તેની નિયંત્રણની ક્ષમતા વધી જાય છે. પીનિયલ ગ્લેંડ ઘણી બધી વૃત્તિઓને કિંટ્રોલ કરે છે. મેડિકલ સાયન્સમાં પિયૂટરી ગ્લેડને માસ્ટર ગ્લેંડ કહેવામાં આવે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં પીનિયલ ગ્લેંડ ઉપર હજી ખૂબ ઓછું કામ થયું છે. અત્યારે કેટલુંક કામ ચાલી રહ્યું છે. આપણો એ સ્પષ્ટ અનુભવ છે કે પીનિયલ ગ્લેડ પિટ્યુટરી ગ્લેડની અપેક્ષાએ વધારે શક્તિશાળી છે. ભારતીય યોગવિદ્યામાં આ સ્થાનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જેટલું નિયંત્રણ અને જેટલી શક્તિ પીનિયલ ગ્લેંડ સાથે છે, તેટલી પિયૂટરી ગ્લેંડ સાથે નથી. જો આ સ્થાન આપણા નિયંત્રણમાં હોય તો વૃત્તિઓ ઉપર સહજ રીતે નિયંત્રણ આવી જાય છે.
દસ બાર વર્ષના બાળકમાં નિયંત્રણની ક્ષમતા વધારે હોય છે અને સિત્તેર
મહાવીરનું અહિંસા-દર્શન 5 153
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org