________________
ક્યાંય બહારથી લાવવાની જરૂર નથી. પ્રત્યેક વ્યક્તિ પાસે નિયંત્રણની ક્ષમતા છે. આજના મસ્તિષ્ક વૈજ્ઞાનિકો એ વાત પ્રતિપાદિત કરી ચૂક્યા છે કે ક્રોધની પ્રણાલી આપણા મસ્તિષ્કમાં હોય છે તેવી જ રીતે ક્રોધને નિયંત્રિત કરવાની પ્રણાલી પણ આપણા મસ્તિષ્કમાં જ હોય છે. બંને પ્રણાલીઓ સાથે સાથે, સમાંતરે કામ કરતી હોય છે. આ બાબતનો આપણે પોતે જ ક્યારેક ક્યારેક અનુભવ કરતા હોઈએ છીએ. જ્યારે ક્રોધ કરીએ છીએ ત્યારે અંદરથી એવો અવાજ આવે છે કે, થોભી જાવ, થોડોક વિચાર કરો. અત્યારે આટલો બધો ગુસ્સો ન કરશો - આવો અવાજ અંદરથી ક્યાંથી આવે છે? આ અવાજ પેલી પ્રણાલીમાંથી આવે છે કે જે નિયંત્રક પ્રણાલી છે અને જે સાથેસાથે નિયંત્રણ કરતી હોય છે. આપણી જેટલી વૃત્તિઓ છે, આપણા જેટલા આવેગો છે, આપણાં જેટલાં ઈમોશન્સ છે – પસંસ છે, તેમની સાથે તે તમામના નિયંત્રણની પ્રણાલીઓ પણ કામ કરતી હોય છે.
કર્મશાસ્ત્રમાં બે શબ્દો આવે છે – ઔદયિક ભાવ અને ક્ષાયોપથમિક ભાવ. આ બંને શબ્દો અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ઔદયિક ભાવ એટલે ઈમોશન્સનું પ્રગટ થવું, આવેગ-સંવેગનું પ્રગટ થવું. ક્ષાયોપથમિકભાવ દ્વારા તેમના ઉપર નિયંત્રણની ક્ષમતા પ્રાપ્ત થાય છે. તેનો અર્થ છે – પ્રત્યેક આવેગ-સંવેગ ઉપર નિયંત્રણ કરવાની પ્રણાલી. ક્રોધ આવે છે, ક્રોધ ઉપર નિયંત્રણ કરી શકાય છે. ભય લાગે છે તો ભય ઉપર નિયંત્રણ પણ કરી શકાય છે. હીન ભાવના (ઇન્ફિરીયારિટી કોપ્લેક્સ) આવે છે તો તેના ઉપર પણ નિયંત્રણ કરી શકાય છે અને અહંની ભાવના (સુપિરીયારિટી કોમ્લેક્સ)આવે છે તો તેના ઉપર પણ નિયંત્રણ કરી શકાય છે. પ્રત્યેક સંવેગ ઉપર નિયંત્રણ કરી શકાય છે. જો આપણે નિયંત્રણની આ પ્રણાલીને સમજીએ નહિ તો આપણા જીવનનું એક પાસું અધૂરું જ રહી જાય છે. પ્રેક્ષાધ્યાનનો ઉદેશ નિયંત્રણની પ્રણાલી સમજવાનો અને તેની ક્ષમતા વિકસાવવાનો છે.
સંવેગનું કારણ
કેટલાંક વર્ષ અગાઉ અમે સૌ રાજસ્થાનના રમણીય પહાડી પ્રદેશ મેવાડમાં ચાતુર્માસ કરી રહ્યા હતા. ત્યાં પ્રેક્ષાધ્યાનની એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રથી આવેલો એક પરિવાર એ શિબિરમાં જોડાયો હતો. તેમાં એક યુવતી ભાગ લઈ રહી હતી. તેના સસરા મૃત્યુ પામ્યા હતા. એ મૃત્યુનો તેને
ન મહાવીરનું અહિંસા-દર્શન : 151 -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org