________________
બૌદ્ધિક વિકાસ ખૂબ આવશ્યક છે - તેને ક્યારેય ઓછા મહત્ત્વનો કહી ન શકાય, પરંતુ કોઈપણ ચીજને સર્વસ્વ સમજી લેવાથી એક ખોટો ખ્યાલ બંધાઈ જાયછે. આજે કંઈક એવું જ બની ગયુંછે. એક ચિંતનનો વિપર્યાય, એક બૌદ્ધિક ભ્રાંતિ પેદા થઈ ગઈછે. આજની શિક્ષણસંસ્થાઓમાં એંશીથી નેવું ટકા જેટલો હિસ્સો બૌદ્ધિકવિકાસ માટેનો હોયછે અને માંડ દસ ટકા જેટલો હિસ્સો શારીરિક વિકાસ માટે હોઈ શકે છે. આપણું અસ્તિત્વ, આપણું વ્યક્તિત્વ માત્ર બુદ્ધિ પૂરતું જ મર્યાદિત નથી હોતું. માણસને અધ્યયન પછી
પરિવારમાં, સમાજમાં, સમુદાયમાં જીવવાનું હોય છે અને તેમાં બૌદ્ધિકવિકાસ ખૂબ ઓછો ઉપયોગી બને છે. તેમાં વ્યવહારની વિશેષ અપેક્ષા રહેછે. વ્યવહારની પાછળ આપણું એટીટ્યૂડ હોયછે. આપણા જીવન સાથે આ બે શબ્દો ખૂબ મહત્ત્વપૂર્ણ રીતે જોડાયેલા છે – એટીટ્યૂડ અને બિહેવીઅર - દૃષ્ટિકોણ અને વ્યવહાર. વ્યક્તિને તેના વ્યવહાર દ્વારા ઓળખવામાં આવેછે. માનસિક સંતોષ અને અસંતોષ, માનસિક તનાવ અને માનસિક તનાવથી મુક્તિ – આ બધું આપણી બુદ્ધિ સાથે જેટલું જોડાયેલું નથી, તેટલું આપણા વ્યવહાર સાથે જોડાયેલું છે.
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 149
Jain Educationa International
યથાર્થતી
સમસ્યા
ઉકેલીએ
For Personal and Private Use Only
www.jainelibrary.org