SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) (૭) (૩). અહિંસાને સામાજિક જીવનનો આધાર સમજવો. ભય અને શંકાને બદલે સદૂભાવ અને વિશ્વાસનું વાતાવરણ પેદા કરવું. પ્રત્યેક દેશના રાજનૈતિક તેમજ આર્થિક આઝાદીના અધિકારને સ્વીકૃતિ આપવી અને તેનું સન્માન કરવું. (૬). લશ્કરી હથિયારો માટે વપરાતાં સાધનોનો ઉપયોગ સામાજિક તેમજ આર્થિક વિકાસ માટે કરવો. પ્રત્યેક વ્યક્તિના સંપૂર્ણ વિકાસના વાતાવરણને સુનિશ્ચિત કરવું. (૮) માનવજાતિની ભૌતિક તેમજ બૌદ્ધિક ક્ષમતાઓનો ઉપયોગ જગતની સમસ્યાઓના ઉપાય માટે કરવો. (૯) “આતંકના સંતુલન’ને બદલે વ્યાપક આંતર્રાષ્ટ્રીય સુરક્ષાને સ્થાન આપવું. (૧૦) જગતને પરમાણુ હથિયાર-મુક્ત અને અહિંસક બનાવવા માટે તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવી. આશ્ચર્યની પશ્ચા આ ઘોષણાપત્રમાં અહિંસાને સામાજિક જીવનનો આધાર બનાવવાનો તથા અહિંસક જગતના નિર્માણનો જે સંકલ્પ રજૂ થયો તે ખરેખર આશ્ચર્યજનક છે. મહાવીર, બુદ્ધ અને ગાંધીના દેશમાં તો આવો સંકલ્પ વ્યક્ત કરી શકાય, પરંતુ સોવિયેત નેતા દ્વારા આ પ્રકારની ઘોષણામાં સહમતિ મળે એ ઓછા આશ્ચર્યની વાત નથી. આ આશ્ચર્યની પશ્ચાદ્ભસમજ્યા વગર તેનું સમાધાન શોધી શકાય નહિ. હિંસાનો પ્રયોગ એક હથિયાર તરીકે હિંસા દ્વારા લક્ષ્ય પૂર્ણ કરી શકાય છે એવા ખ્યાલને આધારે તેને સમસ્યાનું સમાધાન સમજી લેવામાં આવી. આજે દરેક ક્ષેત્રે સમસ્યાના સમાધાન માટે હિંસાનો એક હથિયાર તરીકે ઉપયોગ થતો જોવા મળે છે. આ અસ્ત્રનો ઉપયોગ માત્ર રાજનીતિ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે જ નહિ, શિક્ષણની પવિત્રભૂમિમાં પણ થઈ રહ્યો છે! સરકાર અને પ્રજા-બંન્ને ગાળાગાળીની ભાષામાં શ્રદ્ધા ધરાવે છે. મહાવીરનું અહિંસા-દર્શન - 14. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy