________________
શકાય કે વિદ્યાર્થી માટે શિક્ષણની ત્રિપદી બને છે – બૌદ્ધિક વિકાસનું શિક્ષણ, ઉત્પાદકશ્રમનું શિક્ષણ અને આધ્યાત્મિક વિકાસનું શિક્ષણ. ખોટું પણ નહિ, સફળ પણ નહિ
આધ્યાત્મિક શિક્ષણનો પ્રશ્ન અત્યંત જટિલ બનેલો છે. નૈતિક શિક્ષણની ચર્ચા શિક્ષણવિદોએ અવાર-નવાર કરી છે. તે આધ્યાત્મિક શિક્ષણનું જ એક અંગ છે. એ ચર્ચા પણ એક મૂંઝવણ બની ગઈ છે. વિભિન્ન સંપ્રદાયોની ઉપસ્થિતિમાં કયા સંપ્રદાય દ્વારા માન્ય.આધ્યાત્મિકતા અને નૈતિકતાનું શિક્ષણ વિદ્યાર્થીને આપવું જોઈએ ? આ મૂંઝવણનું એક વલય બની ગયું છે કે જેમાં પ્રવેશવા માટે કોઈ દરવાજો નથી. આધ્યાત્મિક અને નૈતિક શિક્ષણ કેવી રીતે આપવું તે બીજી સમસ્યા છે. ઘણા બધા શિક્ષણવિદોએ તેનું એક સમાધાનસૂત્ર આપ્યું છે. તે એ છે કે વિદ્યાર્થીને મહાપુરુષોની કથાઓ ભણાવવી જોઈએ. વાર્તાઓના માધ્યમ દ્વારા નૈતિક નિયમો પ્રત્યે આકર્ષણ જગાડવું જોઈએ, નૈતિકતાના સિદ્ધાંતો અને નિયમો ભણાવવા જોઈએ. આ સમાધાનસૂત્રને ખોટું તો ન કહી શકાય. પરંતુ તેને સફળસૂત્ર પણ કહી શકાય તેમ નથી.
આવશ્યક છે ગંભીર ચિંતન
આધ્યાત્મિકતા અને નૈતિકતા માનવીની આંતરિક આસ્થાનો પ્રશ્ન છે. તે આસ્થા જગાડવા માટે આંતરિક પરિવર્તન જરૂરી છે. રાષ્ટ્રપ્રેમ, માનવતાનો પ્રેમ, સંતુલિત સમાજવ્યવસ્થા અને પારિપાર્શ્વિક વાતાવરણ વગેરે તેમાં સહયોગી બને છે. પરંતુ આધ્યાત્મિક અને નૈતિક વિકાસનું મૂળ કારણ વ્યક્તિનું આંતરિક પરિવર્તન છે. જ્યાં સુધી એ તરફ આપણું ધ્યાન આકર્ષિત નહિ થાય ત્યાં સુધી આપણે સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને નૈતિક ચેતનાને જગાડવામાં સફળ થઈ શકીશું નહિ, રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની શિક્ષણની કલ્પના પૂર્ણ કરી શકાશે નહિ. તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ નવી શિક્ષણનીતિની રાષ્ટ્રવ્યાપી ચર્ચાનો જે ભગીરથ પ્રયત્ન કર્યો હતો તેની સફળતામાં શ્રદ્ધા વ્યક્ત કરી શકાશે નહિ. તેથી શિક્ષણ અંગે એક વખત ફરીથી ગંભીર ચિંતન જરૂરી છે.
મહાવીરનું અહિંસા-દર્શન - 132
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org