________________
મતનું અસ્તિત્વ ?
મન અત્યંત ચંચળ છે, એવો એક સામાન્ય ખ્યાલ છે. મન ચંચળ છે એ સચ્ચાઈ પણ છે. તે શું છે? આ અંગે ઘણા લોકોને જાણકારી નથી. તેથી તેઓ મનની ચંચળતાને એક કોયડો બનાવી બેઠા છે. હકીકતમાં તે કોયડો નથી. આપણી જાણકારી આગળ વધે તો ઘણી બધી માનસિક મૂંઝવણોને આપણે ઉકેલી શકીએ. આપણું વ્યક્તિત્વ શરીર અને ચેતનાની જોડ છે. આપણે જાણીએ છીએ સંવેદન કરીએ છીએ, અનુભવ કરીએ છીએ – આ બધું ચેતના દ્વારા થઈ રહ્યું છે. આપણા
વ્યક્તિત્વમાં મનનું સ્થાન મૌલિક નથી. તેમાં મૌલિક
' સ્થાન ચેતનાનું છે. મન આપણા શરીરનું સહચારી તત્ત્વ છે. જેવી રીતે ભાષા શરીર સાથે જોડાયેલી છે એવી જ રીતે મન પણ શરીર સાથે જોડાયેલું છે. જેવી રીતે ભાષાને શરીરથી અલગ કરી શકાતી નથી એવી જ રીતે મનને પણ શરીરથી અલગ કરી શકાતું નથી. વ્યક્તિત્વનું મૂળ તત્ત્વ
શરીર, ભાષા અને મન એ ત્રણેય પૌદ્ગલિક છે, અચેતન છે. ચેતના સાથે જોડાઈને તે સચેતનની જેમ કામ કરે છે. આ ત્રણેયમાં શરીર સ્થાયી તત્ત્વ છે. ભાષા અને મન ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે. તેમને ઉત્પન્ન કરવાં
1 મહાવીરનું અહિંસા-દર્શન • 119 |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org