________________
સ્થિતિ આજે ભારતમાં છે તેને માટે આપણે ગૌરવપૂર્વક કોઈ વાત કરી શકીએ તેમ નથી. અધ્યાત્મ અંગે પણ આપણા દેશની સ્થિતિ કાંઈ બહુ સારી નથી. ભારતના લોકો અધ્યાત્મના નામે ભારતની બહાર જઈ રહ્યા છે, પરંતુ બહાર જઈને તેઓ અધ્યાત્મની વાત ઓછી કરે છે અને પૈસા વધુ ભેગા કરે છે. ત્યાગ, તપસ્યા, પરમાર્થ અને બલિદાનની વાતો જાણે કે કલ્પનાલોકની વાતો બની ગઈ છે ! અણુવતઃ માનવીય આચારસંહિતા
ગણાધિપતિ તુલસીએ ધર્મને આવી સ્થિતિમાંથી ઉગારવા માટે અણુવ્રત આંદોલનનું પ્રવર્તન કર્યું. અણુવ્રત આંદોલન એક માનવીય આચારસંહિતા છે. વર્તમાનયુગમાં રાષ્ટ્રીય હિત માટે જેટલું સહાયક અણુવ્રત આંદોલન થઈ શકે તેમ છે એટલું કદાચ બીજું આપણે શોધવું પડશે. અણુવ્રતનો નિયમ છે કે, “હું જાતિના આધારે કોઈને પણ ઊંચા કે નીચ નહિ માનું, સંપ્રદાયના આધારે હું કોઈની ધૃણા નહિ કરું, કોઈને નીચો દેખાડવાનો પ્રયત્ન નહિ કરું, કોઈની ટીકા નહિ કરું.”
જ્યાં સુધી આપણા જીવનમાં આ મૂળભૂત વાતો ન આવે ત્યાં સુધી આપણે એકતાની વાત વિચારી ન શકીએ. એક શબ્દમાં કહેવું હોય તો વિખંડિત વ્યક્તિત્વ દ્વારા એકતાની વાત વિચારી જ ન શકાય. આપણું વ્યક્તિત્વ ખંડિત વ્યક્તિત્વ છે. અખંડ વ્યક્તિત્વ દ્વારા જ એકતા અને અખંડતતાનો સ્વર સાર્થક બની શકે.
આજની મુખ્ય અપેક્ષા એ છે કે અખંડ વ્યક્તિત્વનું નિર્માણ કરવામાં આવે. શિક્ષણ સંસ્થાઓ અને ધર્મશક્તિ એ બંને ઉપર અખંડ વ્યક્તિત્વના નિર્માણની, સમગ્ર વ્યક્તિત્વના નિર્માણની જવાબદારી છે. વ્યાપક દૃષ્ટિકોણ, ઉદાર ચિંતન, ચરિત્રનો વિકાસ, તપસ્યા અને સહિષ્ણુતાની શક્તિ. આ તમામ બાબતો એ વ્યક્તિત્વમાં સમાવિષ્ટ છે.
જવલંત પ્રશ્ના
આજની સ્થિતિ અત્યંત વિચિત્ર બની ગઈ છે. ધર્મના ક્ષેત્રમાં પણ કોઈ વ્યક્તિના જીવનને બદલવાની વાત કહેવામાં આવતી નથી. ધર્મ એ જ વાત શીખવાડી રહ્યો છે કે નામ જપો, ભક્તિ કરો. આ ભક્તિવાદના એકાંગી ખ્યાલ ધર્મને દૂષિત બનાવી મૂક્યો છે. વ્યક્તિત્વના રૂપાંતરણની વાત સમાપ્ત થઈ ગઈ. ભગવાનનું નામ જપો, માળા ફેરવો, સવાર-સાંજ સાધુઓનાં દર્શન કરવા જાવ, મંદિરમાં માથું ટેકવો અને પોતાના અવગુણોની માફી માગતાં કહો કે -
મહાવીરનું અહિંસા-દર્શન • 109
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org