SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે એક વાત બરોબર સમજી લઈએ કે પ્રાણ મનને ઉત્પન્ન કરે છે અને વૃત્તિઓ તેને ચંચળ કરે છે. આપણે મનોજય કરવાની વાત કરીએ છીએ, મનને શાંત કરવાની વાત કરીએ છીએ, મનનો વિલય કરવાની વાત કરીએ છીએ - કારણ કે આપણે મનથી છૂટવું છે - મન આપણને પરેશાન કરી નાંખે છે. પણ મનનો વિલય એટલે મનનું અસ્તિત્વ જ ન રહે એવો અર્થ જો આપણે કરીએ તો આપણે કયાંક મોટી ભૂલ કરી રહ્યા છીએ. મનને મિટાવી દેવાની વાત અશક્ય છે પણ આપણે મનની ચંચળતાને મિટાવી શકીએ, તેના દોષોને મિટાવી શકીએ. આ માટે આપણે મનને પકડવાની જરૂર નથી; જરૂર છે મન ઉપર સવાર થતી વૃત્તિઓને પકડવાની. મનની વૃત્તિઓનું શોધન જેમ જેમ થતું જાય છે તેમ તેમ મનની ચંચળતા ઘટવા માંડે છે. વાસ્તવિકતામાં આપણે મનનો વિલય કરવાનો નથી, પણ મનને સક્રિય કરનાર વૃત્તિઓનો વિલય કરવાનો છે. આ વૃત્તિઓનું શોધન, આ વૃત્તિઓનું નિરસન સાધનાનો માર્ગ છે તેથી જૈન મુનિઓએ કષાયોને સમાપ્ત કરવાની વાતનું બહુ મહત્ત્વ આંક્યું છે અને તે એટલે સુધી કે કષાયમુક્તિને જ મુક્તિ ગણી છે. વૃત્તિઓ ક્ષીણ થતાં મન ક્ષીણ થઈ જશે. વૃત્તિઓ શાંત થતાં મન શાંત થઈ જશે. મૂળ પ્રશ્ન મનની અનુત્પત્તિનો નથી, મૂળ વાત છે વૃત્તિઓના નિરસનની. આ કાર્ય જ્ઞાનના સ્તર ઉપર જીવવાથી સહજ સધાય છે. જ્ઞાની જાણે છે બધું, જુએ છે બધું, પણ તે તેનું વેદન કરતો નથી; જ્યારે અજ્ઞાની કે અલ્પજ્ઞાની જાણે છે ઓછું પણ વેદન ઘણું કરે છે. દુનિયામાં જ્ઞાની પુરુષ કંઈ આંખો બંધ કરીને ચાલી શકતો નથી. તે બધું જાણે છે અને જોઈને ચાલે છે પણ તે તેનાથી પ્રભાવિત થતો નથી કારણ કે તે વેદનના સ્તર ઉપર નથી આવતો. આમ, મૂળ વાત છે જ્ઞાનચેતના જગાવવાની અને વેદનની ચેતનાને સુવાડવાની. મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy