________________
તે રાજદરબારમાં ગયો. રાજાને કુરની બજાવીને ઊભો રહ્યો. રાજાએ પૂછયું,
"બોલો હાથીના શું સમાચાર છે ?"
વૃદ્ધ નટ કહે - "રાજા સાહેબ, હાથી ખૂબ સ્વસ્થ છે. હવે તો એટલો બધો સ્વસ્થ થઈ ગયો છે કે તે કંઈ ખાતો-પીતો નથી. અવાજ કરતો નથી. અરે, હાલતો ચાલતો પણ નથી. હાથી પૂર્ણ રીતે સ્વસ્થ છે. હવે રાજભંડારમાંથી તેના માટે કંઈ આપ મોકલશો નહિ. હવે તેને તેની જરૂર નથી.”
રાજા પળમાં વાત સમજી ગયો અને બોલ્યો, " તો એમ કહોને કે હાથી મૃત્યુ પામ્યો છે.”
વૃદ્ધ નટ બોલ્યો, "રાજાસાહેબ, એ હું નથી કહેતો. આપ કહો છો કે હાથી મૃત્યુ પામ્યો છે. આપ કહો છો તો તેમ હશે. હું આપની વાતનો ઇન્કાર કેવી રીતે કરી શકું ?"
આમ, હાથીના મૃત્યુની વાત નટોએ ન કરી પણ રાજાએ જ કરી. હવે શિક્ષા કોને થાય ?
આ વાત ઘણી માર્મિક છે. હાથી મૃત્યુ પામ્યો હતો પણ નટોએ એ વાત કહેવા માટે જે ભાષા વાપરી તેમાં મૃત્યુનો ઉલ્લેખ ન થયો. તેથી પરિસ્થિતિમાં કંઈ ફેર ન પડ્યો. મૃત્યુ તો મૃત્યુ જ રહ્યું પણ નટો બચી ગયા. આમ, મનના વિલયની વાતમાં મોટે ભાગે ભાષાનો ભેદ છે. તેથી ઘણી ગેરસમજ પ્રવર્તે છે. જો આપણે તેની મૂળ વાત સમજીએ તો સમસ્યા એટલી વિકટ ન લાગે.
કોઈ એમ કહે કે મને કંઈ વિચાર આવતો નથી. હું કોઈ કલ્પના કરતો નથી. હું કોઈ ચિંતન કરતો નથી. મને કોઈ વાત સ્પર્શતી નથી તો વાસ્તવિકતામાં તેના મનનું અસ્તિત્વ રહ્યું નહિ. પણ તેણે એમ ન કહ્યું કે મનનો વિલય થઈ ગયો. વાસ્તવિકતામાં સચ્ચાઈ એ જ છે કે એનામાં હવે મન પ્રવર્તમાન થતું નથી. જ્યારે મન ઉત્પન્ન ન થાય ત્યારે તેને મનનો વિલય કહેવામાં કંઈ વાંધો ન આવે. આમ જોઈએ તો કરોળિયાની જેમ માણસ પોતે જ મનને ઉત્પન્ન કરે છે - તેનું જાળું ગૂંથે છે અને પછી તેમાં ફસાય છે. મનના જાળામાં તેને મૂંઝવણ થાય છે - મનનો વિલય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org