SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તવિકતામાં તેને ઓળખીન છે તેને નામે ઓળખીએ. વાસ્તવિકતામાં આ ચેતનાનું સ્તર નથી પણ આપણે ઉપચારથી - વ્યવહારથી એ પ્રમાણે તેને ઓળખીએ છીએ. આવૃત ચેતનાને પ્રગટ થવાનું પ્રબળ માધ્યમ છે મન - જેને આપણે મનના સ્તરની ચેતના તરીકે ઓળખીએ. આમ તો મન અચેતન છે, પણ ચેતનાનો જે અનુભવ આપણને મનના સ્તરે થાય છે તેની પ્રક્રિયા આપણા મસ્તકમાં થાય છે. આમ જોઈએ તો ઇન્દ્રિય ચેતનાના પ્રવર્તનમાં પણ મસ્તકનું માધ્યમ તો અગત્યનો ભાગ ભજવે છે. ઇન્દ્રિય ચેતનાના પ્રગટીકરણ માટે વિવિધ કેન્દ્રો છે. ઇન્દ્રિયોના માધ્યમથી પ્રગટ થતી ચેતના પ્રાથમિક સ્તરની ચેતના છે. તે ફક્ત વર્તમાન ક્ષણને પકડી શકે છે. બહારથી તેના ઉપર પ્રભાવ પડે કે અંદરથી, પણ તેનું કાર્ય ફક્ત વર્તમાન પૂરતું સીમિત છે. મનના સ્તર ઉપર જે ચેતના પ્રગટ થાય છે તે ત્રણેય કાળની ક્ષમતા ધરાવે છે. તે વર્તમાનને જાણે છે, અતીતની સ્મૃતિ રાખે છે અને ભવિષ્યની કલ્પના પણ કરી શકે છે. ઇન્દ્રિય-જ્ઞાનની જે ક્રિયા કે પ્રતિક્રિયા થાય છે તે મનની ચેતના ઝીલે છે. ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતીનું વિશ્લેષણ મન કરે છે અને જરૂર પ્રમાણે પ્રતિક્રિયાના આદેશો પણ મન આપે છે. ઇન્દ્રિયો જે ગ્રહણ કરીને આગળ પહોંચાડે છે તેનો સંગ્રહ મસ્તકમાં થાય છે. યોગની ભાષામાં તેને સંસ્કાર કહે છે અને મનોવિજ્ઞાન તેને અક્ષય સંચયકોષ કહે છે. ત્યાં ભૂતકાળની બધી સ્મૃતિઓનો સંચય થાય છે અને કંઈપણ નિમિત્ત મળતાં-ઉત્તેજના થતાં પ્રતિક્રિયા રૂપે તે ઉપર આવી જાય છે. મનોચેતના પોતાના સંગ્રહમાં પડેલા પ્રસંગો અને માહિતીને આધારે ભાવિની કલ્પના કરે છે અને જરૂરી આયોજન પણ કરી લે છે. આમ, વર્તમાનને ઝીલવાની, તેને સંગ્રહી લેવાની અને ભાવિના આયોજનની બધી ક્ષમતા મનોચેતનાનો વિષય છે અને તેનું માધ્યમ છે મસ્તક. આમ જોઈએ તો આપણે એ નિષ્કર્ષ ઉપર આવીએ છીએ કે આપણી આવૃત ચેતનાનો જે કંઈ પ્રકાશ બહાર આવે છે તેનાં બે મુખ્ય માધ્યમો છે - એક ઇન્દ્રિયો અને બીજું મન; પણ આ બન્ને આપણા શરીર સાથે સંલગ્ન છે. તેથી એમ કહી શકાય કે શરીરનું - મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy