SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે અને પાછળથી પણ થાય છે. આગળથી આવતા વિષયોને સંપૂર્ણતયા ન રોકી શકાય તેથી તેનો પ્રત્યાહાર કરવાનો. પ્રત્યાહાર એટલે વિવેક કરીને અમુક વિષયોને આવવા દેવા અને અમુકને ન આવવા દેવા. જે વિષયો આપણું પાસ બગાડી શકે તેમ ન હોય તે ભલે અંદર આવે. જે વિષયો આપણી સાધનાને વિફલ કરે તેવા હોય તે અંદર ન આવે. તે માટે પ્રતિજ્ઞા કરીને તેને રોકવા. શરીર માટે ઇન્દ્રિયો ખૂબ મહત્ત્વની છે. તેમની પાસેથી આપણે કામ કાઢી લેવાનું છે. બીજી બાજુ અંદરથી વાસનાઓનો-સંસ્કારોનો જે ધક્કો આવે છે તેને રોકવા તેના મૂળ સુઘી-કર્મશરીર સુધી પહોંચવું પડશે. આ છે સાધનાની વાત. અહીં આપણે એટલું વીર્ય ફોરવવાનું - એટલો ઉત્સાહ રાખવાનો કે જે વાસનાઓનું નિર્મુલન ન થાય તેમ હોય તો તેના રસમાં પરિવર્તન કરવાનું. આ કામ એટલું દુષ્કર નથી. વિષયો પ્રત્યેનો આપણો અભિગમ બદલી નાખવાનો છે જેથી અનિષ્ટ પણ આપણા માટે ઈષ્ટમાં પલટાઈ જાય. અનિષ્ટ વિષયોના સંયોગને પણ આપણે ઈષ્ટમાં બદલી નાખવો રહ્યો. આ પણ જો શક્ય ન હોય તો તે વિષયોની ઉપેક્ષા કરી તેમના પ્રતિ મધ્યસ્થ ભાવ તો કેળવી શકાય. આ સાધના છે. એમાં પુરુષાર્થને અવકાશ છે. પરિવર્તનની શક્તિ પણ આપણી અંદર જ રહેલી છે જેને જગાવીએ તો પ્રતિકૂળ ભાવોને પણ અનુકૂળ કરી શકાય. આપણે મનને એટલું કેળવી શકીએ કે બહારથી આવતા અનિષ્ટને મન ઇષ્ટમાં બદલી નાખે અને તે અશકય હોય તો તેની ઉપેક્ષા તો કરી શકે. આમ ઇન્દ્રિયો, તેના વિષયો, અંદર પડેલી વાસનાઓ અને મનની શક્તિ એ બધાં એકબીજા સાથે સંલગ્ન છે. કોઈ એક વાતને પકડી લેવાથી સાધનામાર્ગમાં આગળ ન વધી શકાય. વિવેક રાખીને ઇન્દ્રિય સંવર કરવાનો છે, મનને કેળવવાનું છે અને આત્માનું વીર્ય ફોરવવાનું છે એટલે કે આત્મશક્તિનું જાગરણ કરવા પુરુષાર્થ કરવાનો છે. K) ઇન્દ્રિય સંવર પ૩ – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy