SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મનને શાંત કરવાનો છે, તેની ચંચળતા મિટાવવાનો છે અને છેવટે અમનની સ્થિતિ સર્જવાનો છે. હજારો હજારો નાની પગદંડીઓ તે તરફ જાય છે. કેટલાય નાના-મોટા માર્ગો તેને મળે છે. એક વાર મહાપથ ઉપર આવી ગયા પછી લક્ષ્ય સુધી પહોંચવાનું કામ એટલું વિકટ નથી. મૂળ માર્ગ તો એક જ છે જેને તંત્રની ભાષામાં એકાયન કહે છે. સાધકે ગમે તે નાનો-મોટો માર્ગ અપનાવી આ એકાયનમાં પ્રવેશ કરવાનો છે. મનના વિલયના મહામાર્ગ ઉપર પહોંચવાના અનેક માર્ગો છે. એ માટેના અનેક યોગો છે. એમાંનો એક માર્ગ છે આસન વિજયનો. આસનની સિદ્ધિ કરીને મત્યેન્દ્રનાથ મહાપથ ઉપર પહોંચ્યા. તેમણે જે આસનથી આ સિદ્ધિ મેળવી એ આસનનું નામ તેમના નામ સાથે જોડાયું. એને અર્ધમત્યેન્દ્રાસન કહે છે. જો કોઈ નિયમિત રીતે પૂર્ણ વિશ્વાસની સાથે આ આસન કરતો રહે તો તેને આ આસન સિદ્ધ થઈ જાય છે. આસન સિદ્ધ થતાં પ્રાણની ધારા ઈડા અને પિંગલામાં ન વહેતાં મધ્યમાર્ગે સુષુમ્મા દ્વારા ઉપરની બાજુ વહેવા લાગે છે. સુષમ્યાનો માર્ગ ખૂલી જતાં મન શાંત થવા લાગે છે અને સાધક મનોજય કરી શકે છે. તો વળી કેટલાક સાધકોએ શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ દિશામાં બૌદ્ધોનું મોટું પ્રદાન છે. તેમની સાધના આના પાનસતિની સાધના કહેવાય છે. તેમણે શ્વાસને પકડ્યો. શ્વાસ પકડવા માટે તેમણે નાસિકાના અગ્રભાગ ઉપર તેની નીચેના હોઠના પ્રદેશ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. શ્વાસની દરેક હલચલ પૂર્ણ જાગૃતિથી સાધક જોયા જ કરે છે. સાધના આગળ વધતાં શ્વાસ આપોઆપ ધીમો થઈ જાય છે અને મન શાંત થવા લાગે છે અને શક્તિઓના જાગરણનો માર્ગ ખૂલવા લાગે છે. શ્વાસ અને મન અદ્દભુત રીતે એકબીજા સાથે સંકળાયેલાં છે. એક શાંત થાય તો બીજું શાંત થાય. એક સધાય તો બીજું આપોઆપ સધાઈ જાય. શ્વાસની ઉત્તેજના આપણા આવેશો સાથે સંકળાયેલી છે. ચિંતા, ભય, ક્રોધ, વાસના એવો કોઈ પણ આવેગ જેવો શરીરમાં પેદા થાય કે શ્વાસ ઉત્તેજિત થવા લાગે છે કારણ કે પછી શરીરમાં કાર્બન ડાયૉક્સાઈડની માત્રા વધવા લાગે છે જે શ્વાસ દ્વારા શરીર બહાર ફેકે છે. શરીરને - ૩૮ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy