SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જે શેષને - બાકી બધી બાબતોને હોઈ શકે છે તે જ આસ્તત્વને પામી શકે છે. સાધનાનો માર્ગ ખોવાનો માર્ગ છે. અસ્તિત્વ સિવાય જે બધું આપણી અંદર ભરાયું છે તે બધાને ફેંકી દેવાનું છે. આપણી અંદરનો જૂનો કચરો બહાર કાઢવાનો છે અને નવો કચરો અંદર ન જાય તેની કાળજી રાખવાની છે. પણ આપણે વ્યવહારિક ગણિત હંમેશાં મેળવવાની ભાષા જાણે છે. અધ્યાત્મનો માર્ગ આત્માના આવિર્ભાવનો માર્ગ છે જેમાં કે પોતાના અસ્તિત્વ સિવાયની બધી જ વાતો - વિભાવો ખોવાના છે. અધ્યાત્મનું ગણિત વ્યવહારના ગણિતથી ઊલટું છે. વ્યવહારનાં લેખાં-જોખાં અધ્યાત્મમાં કામ નથી લાગતાં. જ્યારે આપણને મેળવવાની વાત મહત્ત્વની નહિ લાગે અને ખોવાની વાત સમજાશે ત્યારે આપણી સાધનાની સાચી શરૂઆત થશે. સાધનામાં આત્માને ઓળખવાનો છે પણ શરીરને ય જાણવું જરૂરી છે. ભગવાન મહાવીરે કહ્યું, "જે બહારને જાણે છે તે જ અંદરને જાણે છે; જે અંદરને જાણે છે તે બહારને જાણે છે." ભગવાન મહાવીરની સાધનાપદ્ધતિ એ રીતે વિશિષ્ટ રહી છે. એમાં આત્મા અને શરીર બન્નેને જાણવાની-સમજવાની વાત છે. બન્નેના ગુણધર્મો જાણીએ તો જ બન્ને વચ્ચેના સંબંધો સમજાય. આત્મા અને શરીર બન્નેના સંબંધો યથાર્થ રીતે જે સમજે છે તેની સાધનાનો માર્ગ સરળ બને છે. સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy