SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદનો દષ્ટિકોણ પણ છે અને અભેદની દૃષ્ટિ પણ છે. બૌદ્ધના દર્શનની દૃષ્ટિથી વર્તમાનનો પણ વિચાર કરવામાં આવે છે. આમ ત્રણેય દૃષ્ટિકોણનો સાપેક્ષ પ્રયોગ કરી જો સત્યનું દર્શન કરવા પ્રયાસ કરવામાં આવે તો આપણે પૂર્ણ સત્યની વધારે નજીક પહોંચી શકીએ અને દર્શનસમાધિમાં બાધક થતી સમસ્યાઓનું સમાધાન મળી જાય. - સમાધિની પ્રાપ્તિમાં સૌથી મોટી બાધા છે-અસંતોષ. આ નાનકડો શબ્દ સમાધિને વિષુબ્ધ કરે છે. એટલું તો કોઈ કરતું નથી. આજે કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં અસંતોષની આગ ભભૂકતી ન હોય. સાધનાની ઉપલબ્ધિથી આપણી વર્તમાન સમસ્યાઓનું પણ સમાધાન થવું જોઈએ. જે વર્તમાન સમસ્યાઓનું નિરાકરણ ન કરી શકે તેને સાધનાનો ઝાઝો ખપ ન રહે. ધ્યાન-સાધનાનું એવું પરિણામ આવવું જોઈએ કે જે સાધના દરમ્યાન તેમજ સાધનાના કાળ પછી પણ દિવસ રાત સ્વસ્થતામાં પરિણમે, સમાધિમાં રાખે. ધ્યાનમાંથી નીચે ઊતર્યા અને મન ક્ષુબ્ધ થઈ ગયું તો એ ધ્યાન કે સાધના ઘણી કાચી કહેવાય. સાધના એવા મનનું નિર્માણ કરે કે જેને વર્તમાનની સમસ્યાઓ, અતીત કે ભાવિ કોઈ અસ્વસ્થ કરી શકે નહિ; તો જ સાધનાનો અર્થ સરે. સમાધિની સ્થિતિની પ્રાપ્તિમાં પ્રથમ વિજ્ઞ છે અસંતોષ. અસંતોષનું જો વિશ્લેષણ કરીએ તો એમાંથી મહત્ત્વની વાત મળે છે તે એટલી જ છે કે વ્યક્તિ હંમેશાં “અભાવને દેખે છે - “અભાવને પકડે છે. માણસ પોતાની પાસે જે નથી તેનો જ ઝાઝો વિચાર કરે છે. અસંતોષનું મૂળ કારણ છે અભાવમાં રમતી કે રાચતી વૃત્તિ. સામાન્ય માણસ અને સાધક વચ્ચે એ મોટો ફેર છે કે માણસ અભાવને જુએ છે જ્યારે સાધક ભાવ જે છે તેને દેખે છે. સાધક અને અસાધક વચ્ચેનું આ નાનું શું અંતર ઘણું મહત્ત્વનું છે. સાધક જે છે તેનો સ્વીકાર કરી લે છે. શું ઈષ્ટ છે અને પ્રાપ્ત કરવા જેવું છે તેવો વિચાર કરે છે અને પછી એકાગ્ર ચિત્તે પોતાની સાધના શરૂ કરે છે. સાધકને વસ્તુનો અભાવ સતાવતો નથી કે ક્ષુબ્ધ કરતો નથી. તેની દષ્ટિ પારમાર્થિક છે -- સત્ય શોધનની છે. જે અભાવને જોયા કરે છે તે નથી સાધના કરી શકતો, નથી ધ્યાન કરી શકતો, નથી ધર્મ પામી શકતો; - જ – મહાવીરની સ્વધનાનો મર્મ મૂછે - “અભાછે. અસંતો સાધક વચ્ચે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy