SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ માટીના મૂલ્યમાં ખપાવી નાખીએ. આને શલ્ય જ કહેવું પડે કારણ કે તે દિલમાં સતત ખટકયા કરે છે. જેને પરિણામે નિદાન-નિયાણું કરવામાં આવે. જૈન તત્ત્વજ્ઞોએ મિથ્યાદર્શનને પણ શલ્ય કહ્યું છે અને તેને તો ખૂબ મહત્ત્વનું - મોટું શલ્ય ગયું છે. જ્યાં સુધી આપણું દર્શન જ વિપરીત હોય, મૂળથી જ પાયો ખોટો હોય ત્યાં આગળ કેવી રીતે વધાય? સમાધિની પહેલી પૂર્વ શરત છે કે શલ્ય ન રહે. જ્યારે દિલમાં શલ્ય ન હોય અને એમાંય મિથ્યાદર્શનનું શલ્ય ન હોય ત્યારે જ સમાધિની નિષ્પત્તિ થઈ શકે. સાધનાપથ ઉપર વિચરતા પહેલાં આપણને સૌ પહેલું દર્શન થાય છે. દર્શન જ્યાં સુધી શુદ્ધ ન હોય, સમ્યક ન હોય ત્યાં સુધી જ્ઞાન પણ વિપરીત થાય અને ચારિત્ર - આચરણ પણ કયાં રહે ? જ્ઞાનસમાધિ હોય કે પાશ્ચારિત્ર હોય કે પછી વિનયસમાધિ હોય પણ દર્શનસમાધિ વિના તેની નિષ્પત્તિ થવી મુશ્કેલ છે. દર્શનસમાધિ ન હોય ત્યાં સુધી મનમાં ઈતરભાવો જીવતા જાગતા બેઠેલા છે અને એકવાર પહેલું પગલું બરોબર ગોઠવાય પછી બીજાં પગલાં ગોઠવવાનું સરળ રહે અને સાર્થક પણ થાય. દર્શનસમાધિની પ્રાપ્તિની આડે જે બાબતો આવે છે - જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેનું નિરાકરણ ખાસ કરીને ત્રણ દિષ્ટિકોણથી કરવું રહ્યું. આ ત્રણ દેષ્ટિઓ ખૂબ મહત્ત્વની છે કારણ કે તેને કેન્દ્રમાં રાખી ત્રણ મહાન તત્ત્વ વિચારસરણીઓ ગોઠવાયેલી છે ? એક છે અભેદની દષ્ટિ - જે અદ્વૈતની, વેદાન્તની દષ્ટિ છે. બીજી છે ભેદની દૃષ્ટિ જે નૈયાયિકો અને વૈશેષિકોની દષ્ટિ છે, જ્યારે ત્રીજી દષ્ટિ છે વર્તમાનને લક્ષમાં રાખવાની જે બૌદ્ધદર્શનની દષ્ટિ છે. આ ત્રણેય દષ્ટિઓનો જો સાપેક્ષ પ્રયોગ આપણે કરીએ તો દર્શન ક્ષેત્રની આપણી સમસ્યાઓનું નિરાકરણ આપણને મળી આવે છે અને દર્શન સમાધિ પ્રાપ્ત થઈ શકે છે. આમ, દર્શનસમાધિની આડે આવતું એક મોટું વિઘ્ન દૂર થઈ જાય છે. આપણે આગળ જોઈ ગયા કે કેવળ વર્તમાનને ગ્રહણ કરવાનું ખૂબ મહત્ત્વનું છે - એ જોવાની કળા છે. સાધનાપથ ઉપર કેવળ શુદ્ધ દર્શનઅતીત અને અનાગતથી અશુદ્ધ થયા વિનાનું દર્શન - ખૂબ મહત્ત્વનું છે. – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy