SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન, પરાવર્તન ઇત્યાદિ ઘણી વાતો સમાયેલી છે. તેની સાથે ભાવના પણ સંલગ્ન છે. સત્ય માટે ઊંડાણમાં જઈને નિરીક્ષણ કરવું તે સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં સત્યનો બોધ રહેલો છે તેથી તે તપ બને છે અને તે માટેની પ્રક્રિયા મહદંશે અંદરના સ્તરે રહે છે તેથી તેને અત્યંતર તપ કહે છે. પાંચમા ક્રમે ધ્યાન આવે છે અને એ વિષય ઘણો મોટો અને સ્વતંત્ર છે જે વિષે આપણે અન્ય સ્થળે વિસ્તારપૂર્વક વિચારણા કરેલી છે. અત્યંતર તપમાં વ્યુત્સર્ગ મહત્ત્વનું તપ છે. વ્યુત્સર્ગ એટલે વિસર્જન કરવું. વિસર્જનની આખી પ્રક્રિયા આંતરિક પ્રક્રિયા છે. જગતમાં કંઈપણ છોડવાની વાત અને તે પણ મનથી છોડવાની વાત સૌથી વધારે મુશ્કેલ છે. શરીરને વિસર્જિત કરવું તે કાયોત્સર્ગ છે. આ સાધનાની વિશિષ્ટ પદ્ધતિ છે. વ્યુત્સર્ગ ઘણો વ્યાપક છે. સંસારનો વ્યુત્સર્ગ કરવો - કષાયોનો વ્યુત્સર્ગ કરવો એ મહત્ત્વની વાત છે. કષાય એ જ આપણો સંસાર છે. કાયોત્સર્ગ તો હજુ સહેલી વાત છે કારણ કે વાસ્તવિકતામાં આપણે કાયાને છોડતા નથી. એમાં ખરેખર તો શરીર પ્રત્યેના મમત્વનું વિસર્જન કરવાનું હોય છે. એની સાથે જે બે મહત્ત્વની બાબતો જોડાયેલી છે તે શરીરનું શિથિલીકરણ એટલે વાસ્તવિકતામાં મમત્વનું વિસર્જન. ખાસ તો આ શરીર મારું છે એ ભાવનું વિસર્જન, શરીર સાથેનું તાદાત્મ્ય ઘટે ત્યારે જ સાચા અર્થમાં કાયોત્સર્ગ થઈ શકે. આપણું સમસ્ત જીવન એક દેહાધ્યાસ • છે. તે જેમ જેમ છૂટતો જાય તેમ તેમ કાયોત્સર્ગ સધાતો જાય. આ વાત ધણી કપરી છે અને તેથી અત્યંતર તપમાં પણ તે ચરમસીમા ઉપર રહેલી છે. સાધનાની દૃષ્ટિએ તો ખૂબ આગળની વાત છે કર્મના વિસર્જનની, કર્મ માત્રનો વ્યુત્સર્ગ. કર્મ માત્રનો વ્યુત્સર્ગ થાય, કર્મનું વિસર્જન થઈ જાય પછી સંસાર કયાં રહ્યો ? વ્યુત્સર્ગની પરાકાષ્ઠા કર્મના વિસર્જનમાં છે સંસારના વિસર્જનમાં છે - જે ખૂબ આગળની ભૂમિકા છે. કર્મ વ્યુત્સર્ગ બાહ્યતપ અને અત્યંતર તપની નિષ્પત્તિ છે. તેથી કર્મ વિષય ઉપર સ્વતંત્ર રીતે ગ્રંથો લખાય છે અને તેનાં એકેએક પાસાંનો વૈજ્ઞાનિક રીતે વિચાર કરવામાં આવે છે. આમ, બાહ્ય અને અત્યંતર તપ, સાધનાનાં મહત્ત્વપૂર્ણ અંગ છે. બાહ્ય તપ બહારથી અંદર જવાનું દ્વાર ખોલી આપે છે. બહિરાત્મા મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy