SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનું તેમને કાર્યક્ષમ રાખવાનું છે. કાયાને સાધ્યા વિના કોઈપણ સાધના કરવી મુશ્કેલ થઈ પડે છે. સાધનામાં કાયાને અવગણવાની નથી. તેમાં દેહને સાધીને તેની પાસેથી કામ કાઢી લેવાનું છે. ત્રીજું મહત્ત્વનું તપ છે - પ્રતિસંલીનતા. પ્રતિસંલીનતા સંબંધવિચ્છેદની પ્રક્રિયા છે. પ્રાપ્ત વિષયો ઉપર રાગ કે દ્વેષ ન કરવો એ પણ પ્રતિસંલીનતાનો એક પ્રકાર છે; પરંતુ તે એટલો બાહ્ય નથી. બાહ્ય તપમાં મુખ્યત્વે ત્રણ બાબતો પ્રાપ્ત થાય છે. ભોજન સર્વથા બંધ કે અલ્પ કરવાનું. શરીરમાં આવેલાં મર્મસ્થાનોને સક્રિય કરવાનાં જેથી તે સંકોચાયેલાં ન રહે પણ વિકસિત થઈ જાય. ત્રીજી વાત છે વિષયોના આગમનને રોકવાનું. વિષયો જ્યાંથી પ્રવેશ કરે છે એ દ્વારોને બંધ કરી દેવાનાં અને છતાંય વિષયોને સદંતર રોકી ન શકાય તો તેના પ્રતિ રાગ-દ્વેષ નહિ રાખવાનો. ભોજનનો સંયમ કરો, આસન આદિ ક્રિયાઓ દ્વારા શરીરનાં મર્મસ્થાનોને સક્રિય કરો, ઇન્દ્રિયો અને મનને રોકો; એ બધાનો પ્રભાવ સ્થૂળ શરીર ઉપર પડવાનો. સ્થૂળ શરીર ઉપર પડેલો પ્રભાવ તેના પૂરતો મર્યાદિત રહેતો નથી. તેની અસર તૈજસ શરીર ઉપર પડે છે અને તે વળી કર્મશરીરને પ્રભાવિત કરે છે. જો આ બધાનો પ્રભાવ કર્મશરીર સુધી ન પહોંચે તો તેમને તપ કહી શકાય નહિ. તપ એટલે તપાવવું. કોને તપાવવાનું છે ? કર્મશરીરને. જો કર્મશ૨ી૨ને આ કહેવાતાં તપોની આંચ ન લાગે તો તેમને તપ ન કહી શકાય. પછી તો તે કેવળ કાય કલેશની કોટિનાં ઠરે. કર્મશરીર પુષ્ટ થતું રહે એવી ક્રિયાઓને મહાવીર તપ નથી ગણતા. જો કર્મશરીર પ્રકંપિત ન થયું તો તેને તપ ન ગણાય. આવું તપ જૈન સાધનામાર્ગમાં સ્વીકાર્ય નથી. શરીરને કષ્ટ આપવું એ કંઈ તપ નથી. તપ તો એ કે જે સ્થૂળશરીરને તપાવવાની સાથે સાથે કર્મશરીરને પણ તપાવે. બાહ્ય તપ વિષે આપણે સ્પષ્ટ થવાની જરૂર છે કે સ્થૂળશરીરને તપાવવું એ આપણા તપનો ઉદ્દેશ નથી. જે ક્રિયાથી કર્મશરી૨ તપવા લાગે, જેનાથી કર્મશરીર પ્રકંપિત થઈ જાય-કર્મો ખરી પડવા લાગે તો જ તે ક્રિયા તપ ગણાય. જો આ હેતુ સિદ્ધ ન થાય તો વાસ્તવિકતામાં તે ક્રિયા તપ નથી જેથી તેને અજ્ઞાનતપ કહેવું પડે. મહાવીરની સાધનાનો મર્મ ૫. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy