SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શકતી નથી. આ જ આ કાર્ય કરી શકે આની આસપાસ વાસ્તવિકતામાં ખૂબ કઠિન છે. મન એવું છે કે ક્યારેય પોતાની વાત છોડતું નથી. મનને પોતાના આગ્રહથી મુક્ત કરવાની વાત સૌથી વિષમ છે. આગ્રહ એ તો મનનો આખરી ગઢ છે. ત્યાં તો અહં છુપાઈને બેઠો છે. ત્યાંથી અહંને કાઢવાનું કામ ઘણું કપરું છે. જો આ ચોથી શરતનું પાલન ન થાય તો પછી આગળની ત્રણેય શરતો વિફલ થઈ જાય છે. જ્યાં આગ્રહ અંદર અકબંધ પડેલો છે ત્યાં ગુરુની વાતની આરાધના માટે કોઈ સ્થાન જ રહેતું નથી. જે આ ચારેય ગઢને પાર કરી જાય છે - તે વિનયસમાધિને પહોંચી શકે છે. વિનયસમાધિમાં ખાલી થઈ જવાની વાત છે. ખાલી થઈ જવું એટલે સમર્પિત થઈ જવું. જે સંપૂર્ણતયા ખાલી થઈ જાય તેને માટે ગુરુનો એક ઇશારો પણ પૂરતો છે. દરેક વ્યક્તિ આ કરી શકતી નથી. આ તો એક સાધના છે. જે સાધકે કષાયોનું વિસર્જન કરવાનું શરૂ કર્યું હોય તે જ આ કાર્ય કરી શકે છે. અહં એ કષાયનો મોટામાં મોટો ભાગ છે. અહં તો કષાયોનો ગર્ભ છે. અહંની આસપાસ તો કષાયો બંધાય છે. જરા વિચારી જોઈશું તો લાગશે ક્રોધ-માન-માયા અને લોભ એ બધા કોને આધારે ઊભા છે ? એમાંથી અહં ખસી જાય તો પછી કષાયોનો મહેલ કડડભૂસ કરતો તૂટી પડશે. જ્યાં અહં જ નથી ત્યાં રાગ કયાં રહેશે ? દ્વેષ કયાં રહેશે ? અહંના નિવાસમાં જ રાગ-દ્વેષ ઉછરે છે અને પુષ્ટ થાય છે. જ્યાં અહં નથી ત્યાં પ્રિયતા કે અપ્રિયતાની વાત ટકી શકતી નથી. વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ પ્રિય કે અપ્રિય લાગે છે, તે કોને લાગે છે ? અહંને. અહં વિના પ્રિયતા કે અપ્રિયતા રહેતી નથી. જ્યાં અહંકાર ન રહ્યો ત્યાં તેને ચોટ વાગવાની કયાંથી ? પછી ત્યાં ગુસ્સો કયાં રહ્યો ? પ્રતિકારનો તો કોઈ અવકાશ જ ન રહ્યો. અહં ઘણીવાર સ્વાભિમાન નામના સુંદર સ્વરૂપે આવે છે - જે ઘણો છેતરામણો છે. નગ્ન અહંને તો આપણે ઝટ ઓળખી લઈએ છીએ પણ જ્યારે તે સ્વાભિમાનનો અંચળો ઓઢીને આવે છે ત્યારે આપણને થાપ આપી જાય છે. સ્વાભિમાન વાસ્તવિકતામાં “અહં'નું જ હલકું રૂપ છે. વ્યવહારમાં ભલે તેનું કંઈ મૂલ્ય હોય પણ સાધક છે તેને માટે તો તે ત્યાજ્ય છે. સ્વાભિમાનથી જો સાધક સાવધ ન રહે તો ઘણીવાર વિનયસમાધિ ૧૪૩– Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy