SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક તત્ત્વજ્ઞોએ આત્માને અપરિણામી માન્યો છે; તો વળી કેટલાકે તેને પરિણામી ગણ્યો છે. આપણે કઈ રીતે વિષયને ગ્રહણ કરીએ છીએ તેના ઉપર નિરૂપણનો આધાર છે. આ દેખીતો ભેદ વધારે તો દૈષ્ટિકોણનો ભેદ છે. આપણી ચેતનાની વિધ વિધ ભાવે થતી પરિણતિથી તો આપણે શાત છીએ અને તેનો એક કે બીજા સ્વરૂપે સ્વીકાર પણ કરીએ છીએ. પછી પ્રશ્ન તો એટલો જ રહે છે કે આપણે આ પરિણમનને કેવી રીતે ઘટાવીએ છીએ અને શેમાં ઘટાવીએ છીએ. જૈનાચાર્યોએ મુક્તિનું નિષેધાત્મક સ્વરૂપ નથી સ્વીકાર્યું. તેમને મતે મોક્ષ એ બિલકુલ વિધાયક અવસ્થા છે. ઘણા લોકો મોક્ષને મોટે ભાગે ભૌગોલિક રીતે ઘટાવે છે. તેથી મોક્ષે જવું એવો શબ્દપ્રયોગ થાય છે. પણ તત્ત્વજ્ઞો તો મોક્ષને એક અવસ્થા ગણે છે તેથી મોક્ષ થવો એ શબ્દપ્રયોગ વધારે યથાર્થ ઠરે છે. ત્યાર પછી ભૌગોલિક સ્થાનની બાબત હોય તો પણ તે ગૌણ બની જાય છે. જીવ કર્મનાં બંધનોથી જકડાયેલો છે અને પરિણામે તે ભવભ્રમણ કર્યા કરે છે. કર્મનાં બંધનોમાંથી મુક્તિ એટલે ભવભ્રમણનો અંત અને એ જ મોક્ષ. આચાર્ય હરિભદ્ર સૂરિ તો કષાય મુક્તિને જ મોક્ષ ગણે છે. કારણ કે કર્મ બંધનું બીજ કષાયોમાં રહેલું છે. જૈન મતે મોક્ષની અવસ્થા એ કંઈ દીપના નિર્વાણ જેવી નથી. તેમના મત પ્રમાણે તો આત્માની અનંત શક્તિઓનો આવિર્ભાવ મોક્ષ સાથે જ ઘટે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય (ઉત્સાહ) અને અનંત આનંદ (અવ્યાબાધ સુખ) મોક્ષની અંતર્ગત છે. એને અનંત ચતુષ્ટયીનો આવિર્ભાવ કહેવામાં આવે છે. જૈન તત્ત્વજ્ઞોએ આત્માનું અલગ અસ્તિત્વ માન્યું છે અને તે સ્થાપિત કરી બતાવ્યું છે. તેથી તો મોક્ષનું સ્વરૂપ પૂર્ણતયા વિધાયક બની રહે છે. આમ, જૈનદર્શન અન્ય દર્શનો .કરતાં વિશિષ્ટ રહ્યું છે અને તેની તત્ત્વવિચારસરણી તર્કબદ્ધ લાગે છે અને વિજ્ઞાનની નવી નવી શોધોનું તેને સમર્થન પણ મળ્યું છે. આંતરિક જાગરૂકતા Jain Educationa International For Personal and Private Use Only ૧૩૩– www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy