SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વિચાર ધ્યાન કે મૂચ્છ ? અહીં એ વાતનો ઉલ્લેખ પણ કરવો રહ્યો કે આચાર્ય પૂજ્યપાદ રાજસેન, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય તેમજ અન્ય જૈનાચાર્યો નિર્વિચારને ધ્યાન તરીકે સ્વીકારતા નથી. જૈન સાધનાપદ્ધતિમાં અભાવાત્મક શૂન્યતાને કોઈ સ્થાન નથી. આવી અભાવાત્મક શૂન્યતા પણ મૂચ્છનું એક સ્વરૂપ જ છે અને મૂચ્છ એ તો મોહનું જ સ્વરૂપ છે. જ્યારે સાધનામાં-ધ્યાનમાં આપણે તો મોહના વિષચક્રને તોડવાનું છે. ધ્યાનની શૂન્યતાની જ્યારે વાત થાય છે ત્યારે તેને કદાચ ભાવાત્મક શૂન્યતા તરીકે ઘટાવી શકાય. એમાં બહારની શૂન્યતા, વિકલ્પની શૂન્યતા પણ ચૈતન્યની જાગરૂકતા અને તેય વળી અધિક જાગરૂક્તા. સાધનામાં સ્થળ મનને નિષ્ક્રિય કરીને અવચેતન મનને સક્રિય કરી આંતરિક જાગરૂકતા વધારવાની છે. વિકલ્પની શાંતિ થતાં અંતરમન તીવ્ર ગતિથી પોતાના ગંતવ્ય ઉપર જઈ શકે છે અને એ રીતે બહારની શૂન્યતા ગણવાની વાત હોય તો તેમાં વાંધો નથી. સાધનામાં આપણો સઘળો પ્રયત્ન અંતરમનને કામ કરવાનો અવકાશ આપવાનો છે અને તે માટે આપણે સ્થળ મનને બંધ કરવું પડે છે. આમ ત્રીજો વિકલ્પ વ્યવહારમાં સુષુપ્તિ અને અંતરચેતનાની જાગૃતિ એ અધ્યાત્મનો માર્ગ છે - એ આત્મવિકાસનો માર્ગ છે. જૈનદર્શનનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે કે જીવ પરિણામી છે. પ્રત્યેક ક્ષણે ચેતનાનું વિવિધ રૂપે પરિણમન થતું રહે છે. ચેતના જ્યારે શુદ્ધરૂપે હોય ત્યારે તે કેવળ આત્મા છે. દ્રવ્ય આત્મા છે. જેવું જીવમાં પરિણમન થયું કે પર્યાય બદલાયા; પછી ભલેને તે સારા હોય કે નરસા હોય, તેથી જૈન યોગમાં ધ્યાનની ખૂબ મહત્તા છે. જેનું ધ્યાન એવું પરિણમન. મનમાં જેવી ધારણા કે ભાવના તેવું પરિણમન; તેથી સંકલ્પ ખૂબ મહત્ત્વનો છે. સંકલ્પ થતાં પરિણમનની પ્રક્રિયા શરૂ થાય છે અને શક્તિનો સંચાર થાય છે. જીવ જેવો ભાવ કરે એવું તેનું પરિણમન થાય. જો આપણો ભાવ રુષ્ણ હશે તો આપણે ઉત્તરોત્તર માંદા થતા જઈશું. જેવો ભાવ થયો કે ચેતના સક્રિય થાય છે અને શરીરની ઊર્જા એ બાજુ વહેવા લાગે છે. આંતરિક જાગરૂકતા ૧૩૧ – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy