SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા જીવનનાં પાંચ મહત્ત્વનાં તત્ત્વ છે : મન, વાણી, શરીર, શ્વાસ અને કર્મ. પાંચેયની પાર પહોંચી જવાનું છે સાધના દ્વારા. દેહ રહે પણ જાણે તે ધારણ કરેલો નથી - વિદેહ. જનક રાજા એ અવસ્થામાં પહોંચ્યા હતા તેથી તો વિદેહી કહેવાતા હતા. વાણી રહે પણ આપણે જાણે અવાક્ અવસ્થામાં, વાણીનો મર્મ સમજી લીધા પછી આ અવસ્થાની પ્રાપ્તિ દુર્લભ નથી. શ્વાસના મર્મને આપણે જાણી લઈએ જેથી શ્વાસોચ્છ્વાસની ક્રિયા ચાલુ હોય છતાંય આપણે જાણે અનુશ્વાસ. ભલે કર્મ આપણાથી થતાં રહે પણ આપણી અવસ્થા અકર્મની હોય. અમન રહીને આપણે મનના મર્મને સમજીએ. સાધનાનો મર્મ છે. " વિદેહાનાં દેહઃ અવાચાં વાકઃ અમનસાં મનઃ અનુચ્છવ સતાં સ્વાસ અકર્મણા કર્મ આ છે સાધનાની નિષ્પત્તિ. જીવન અને કર્મની સૌથી મોટી સફળતા અકર્મ અવસ્થાની પ્રાપ્તિમાં છે. આપણે કેવળ કર્મમાં વિશ્વાસ રાખીએ છીએ અને કર્મરત રહીએ છીએ; પણ અકર્મના વિજ્ઞાનને આપણે ભાગ્યે જ સમજીએ છીએ. વાસ્તવિકતામાં જે અકર્મનું - નહિ કરવાનું વિજ્ઞાન સમજી જાય છે તેની શક્તિ ઘણી વધી જાય છે. આપણે આ પાંચેય તત્ત્વોને સતત ગતિશીલ રાખીએ છીએ અને પરિણામે આપણી જીવનશક્તિનો કેટલો મોટો વ્યય કરીએ છીએ ! જે સાધક આ પાંચેય તત્ત્વની અકર્મણ્ય અવસ્થાને પ્રાપ્ત કરી લે છે તે આ પાંચેય તત્ત્વની પાર ઊતરી જાય છે. પછી તે જે કંઈ કરે છે - તેનાથી જે કંઈ થાય છે તે કેવળ સાધના જ છે જે તેને પરમ લક્ષ્યને સિદ્ધ કરવામાં સહાયભૂત જ નીવડવાની. - ૧૨૦ Jain Educationa International મહાવીરની સાધનાનો મર્મ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy