SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કાયિક બાન, આનાથાનો આરંભ સ્થળ શરીરની વેદનશીલ બનતું સીધી રાખવાની અને શરીરને શિથિલ રાખવાનું. કાયોત્સર્ગ થતાં શ્વાસની ક્રિયા આપોઆપ સૂક્ષ્મ થવા લાગે છે. સામાન્ય રીતે આપણે મિનિટના પંદર શ્વાસ લેતા હોઈએ છીએ તે ઘટીને તેની સંખ્યા પાંચથી સાત થઈ જાય છે અને શ્વાસની ગતિ મંદ થઈ જાય છે. કાયોત્સર્ગ કે કાયિક ધ્યાન સ્વતંત્ર પ્રક્રિયા તરીકે થઈ શકે છે અને એની સાથે માનસિક પ્લાન પણ કરી શકાય છે. માનસિક એકાગ્રતા માટે કાયિક ધ્યાન ખૂબ જરૂરી છે. માનસિક પ્લાનમાં કોઈ એક આલંબન લેવામાં આવે છે. આલંબનના વિષય ઉપર ચિંતનનો એક પ્રવાહ વહે ત્યારે તે માનસિક પ્લાન થઈ જાય છે. એને “વિષયધ્યાન” કહેવામાં આવે છે. જો એ વિષયને માનસિક ચક્ષુ દ્વારા ફક્ત જોવામાં આવે તો તે વિપશ્યના” ધ્યાન બની રહે છે. એ થતાં વસ્તુનો સ્વભાવ પ્રત્યક્ષ થઈ જાય છે. આમ, માનસિક પ્લાન ચિંતન સ્વરૂપે થઈ શકે છે તેમજ અંતરદર્શન તરીકે પણ થાય છે. વિષયધ્યાન ચિંતનાત્મક છે. તેના માટે કાયિક ધ્યાન, આનાપાન ધ્યાન અને વાચિક ધ્યાન ઘણું આવશ્યક છે. બીજી બાજુ વિપશ્યના ધ્યાનનો આરંભ સ્થૂળ શરીરના આલંબનથી કરવામાં આવે છે. વિપશ્યના ધ્યાન સધાતાં મન સૂક્ષ્મ અને સંવેદનશીલ બનતું જાય છે અને ધીમે ધીમે સૂક્ષ્મતર તૈજસ શરીર અને સૂક્ષ્મતમ કર્મ શરીરની પણ વિપશ્યના થઈ શકે છે. પણ આ ભૂમિકા આગળની ભૂમિકા છે. છેવટે તો પુરુષાકાર ચૈતન્યની પણ વિપશ્યના થઈ શકે છે. આ એક સાધના છે અને લાંબાકાળના અભ્યાસ પછી તે સિદ્ધ થાય છે. આમ તો આપણે સતત ક્રિયાશીલ રહીએ છીએ. સ્થૂળ શરીર ઘણીવાર ક્રિયા કરે છે અને ઘણીવાર નિષ્ક્રિય પણ રહે છે. જ્યારે સૂક્ષ્મ શરીરની ક્રિયાનું ચક્ર તો નિરંતર ચાલુ જ રહે છે. તેના લીધે પ્રતિક્ષણે કર્મનો ઉદય અને બંધ ચાલુ જ રહે છે. કર્મના ઉદય અને બંધનાં સ્પંદનો જ્યાં સુધી સ્થૂળ શરીરમાં ન ઊતરે ત્યાં સુધી આપણે તેને પકડી શકતા નથી. સ્થૂળ શરીર જેવું પ્રકંપન ઝીલે કે તુરત જ આપણને સુખ કે દુઃખનું સંવેદન થાય છે. વિપશ્યના કરનાર ધ્યાની અનુકૂળ સંવેદનો પ્રત્યે રાગ કરતો નથી અને પ્રતિકૂળ સંવેદનો તરફ ધ્યેય રાખતો નથી. તે તટસ્થ ભાવથી આ સંવેદનો ઝીલે છે. પરિણામે તે આગળ જતાં શરીરના – ૧૧૦ --- – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy